સુવિચાર

"Wel-Come to Information Technology & Education Development World" સુવિચાર :- "શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કળા છે અને જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM) - See more at: http://gujaratteachergroup.blogspot.in/p/reach-us.html#sthash.ZQOi6IeM.dpuf

Tuesday 31 July 2018

ગુજરાત સરકારે નવરાત્રી વેકેશનની સત્તાવાર જાહેરાત કરી, દિવાળી વેકેશન ટૂંકાવ્યું - અંગારકી સંકટ ચતુર્થીના દિવસે સુરતના ગણેશ મંદિરોમાં ભક્તોની ભીડ - કેન્દ્રીય કર્મચારીઓનો તહેવારો સુધરશેઃ DA વધશેઃ ૭માં પગાર પંચથી વંચિતોને પણ મળશે ખુશખબર - બેંક કામદારોનાં વેતન વધારા પ્રશ્ને બેઠક અનિર્ણિત રહીઃ ઓગસ્ટમાં સમજુતીની આશાઃ ૪ બેઠકો યોજાશે - RTE હેઠળ સંબંધિત તમામ બાળકને પ્રવેશ આપવા આદેશ - આંગણવાડી વર્કર બહેનો ત્રણ - ત્રણ મહિનાથી પગાર વિહોણી : તંત્ર દયાહીન - ૨૦૦૩ સુધીમાં રજીસ્ટર થયેલા વાહનો થંભી જશે - થશે ઢગલાબંધ ફાયદા.... ટેકસેબલ નથી તમારી આવક તો પણ ભરો IT રિટર્ન - 5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે સુવિધામાં વધારો - HSRP માટેની મુદ્દત 5મી વખત વધારાઈ - દેશના 50%થી વધારે જિલ્લાના ભૂજળ ઝેરી: રિપોર્ટ - મોદી આધાર નંબર જાહેર કરે તો હું હેક કરી બતાવું, ફ્રેન્ચ હેકરનો પડકાર - નવરાત્રિ વેકેશનના નિર્ણયમાં આખરે સરકારે પોતાની ભૂલ સુધારી

Gujarat Teacher Group

Product Price For Customer :- GSG Customer Click Here
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)  
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  1 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


ગુજરાત સરકારે નવરાત્રી વેકેશનની સત્તાવાર જાહેરાત કરી, દિવાળી વેકેશન ટૂંકાવ્યું 

છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં નવરાત્રીના વેકેશનને લઇને ચાલી રહેલ ચર્ચાઓનો આવી ગય અંત. શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાંએ પત્રકાર પરિષદને સંબોધી નવરાત્રીના વેકેશનની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. 10 થી 17 ઓક્ટોબર નવરાત્રી વેકેશન ત્યારે 5થી 18 નવેમ્બર સુધી એટલે કે, 14 દિવસનું દિવાળી વેકેશન રહેશે.
સરકારે જાહેર કરેલા નવરાત્રી વેકેશનને લઈ શિક્ષકોમાં ભારે ઉહાપોહ મચ્યો
રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં જાહેર કરાયેલ નવરાત્રીના વેકેશનને લઈ શિક્ષણ જગતમાં ભારે ઉહાપોહ થયો છે. ઠેરઠેર શિક્ષકો અને શાળા સંચાલકો દ્વારા વિરોધ પણ નોધાવવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. નવરાત્રીનું વેકેશન તા.10 થી 17 ઓક્ટોબર દરમિયાન સાત દિવસનું જાહેર કરવામાં આવ્યું છે.
શૈક્ષણિક વર્ષમાં 116 દિવસનું પ્રથમ સત્ર અને બીજુ સત્ર 131 દિવસનું
ગુજરાતમાં 1 જૂનથી 31 મે સુધીનુ શૈક્ષણિક વર્ષ હોય છે. આ વખતે ઉનાળુ વેકેશન મોડુ ખુલતા 11 જૂનથી શરૃ થયેલ શૈક્ષણિક વર્ષમાં 116 દિવસનું પ્રથમ સત્ર અને બીજુ સત્ર 131 દિવસનું રાખવામાં આવ્યુ છે. જેમાં 5 નવેમ્બરથી 21 દિવસનુ દિવાળી વેકેશન આપવામાં આવેલુ છે. જેથી દિવાળી વેકેશનના 5 દિવસ પહેલા અને પછીના ૫ દિવસમાં વિદ્યાર્થીઓની સ્કૂલોમાં હાજરી ઓછી વર્તાતી હોય છે. જેથી ૫ દિવસ વહેલા પરીક્ષા પૂર્ણ કરવાના આયોજન અન્વયે 19 થી ૩૦ ઓક્ટોબર દરમિયાન ધો.9 થી 12ની પ્રથમ સત્રની વાર્ષિક પરીક્ષાઓ ગોઠવવામાં આવી છ, જે દર વર્ષે ગોઠવવામાં આવે છે. હવે આ પ્રકારના માહોલ વચ્ચે નવરાત્રીમાં સાત દિવસનું વેકેશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. જો આ વેકેશનનો નિર્ણય પરત ખેંચવામાં ન આવે તો, ધો.9 થી 12ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવો પડે, અને જો પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવશે તો તેની વિદ્યાર્થીઓના પરિણામ ઉપર માઠી અસર વર્તાશે.

 Source :- http://sandesh.com/government-of-gujarat-announced-the-official-announcement-of-navratri-vacation/

અંગારકી સંકટ ચતુર્થીના દિવસે સુરતના ગણેશ મંદિરોમાં ભક્તોની ભીડ 
- અંગારકી ચોથ અને મંગળવાનો અનોખો સંગમ ભક્તોની ભીડ વધતાં દર્શન માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવીઃ શ્રીજીની આરાધના માટે વહેલી સવારથી જ મંદિર ગુંડયા (પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 31 જુલાઈ 2018 મંગળવાર 21 ચોથ કર્યાનું ફળ આપે છે તે અંગારકી ચોથ અને ગણેશજીના ભક્તિનો મંગળવારનો સંગમ થતાં સુરત શહેર જિલ્લામાં આજે ગણેશજીના મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી. લાંબા સમય બાદ આ ચોથ આવી હોવઆથી  શ્રધ્ધધાળુઓ વહેલી સવારથી જ મંદિરમાં ભગવાની આરાધના માટે પહોંચી ગયાં હતા. ભક્તોની ભીડ થાય તેવી શક્યતા હોવાથી અનેક મંદિરોમાં દર્શન માટે ખાસ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કામ માટે સૌથી પહેલું નામ લેવાય છે તેવા ગણેશજીની આરાધના કરવા ભક્તો ચોથ કરતાં હોય છે. તેમાં પણ મંગળવાર અને ચોથ આવતી હોય તો ભક્તોની શ્રધ્ધામાં વધારો થાય છે. આજે મંગળવાર સાથે અંગારકી ચોથ જે ચોથની પુજા કરવાથી ૨૧ ચોથનું ફળ મળશે તેવું કહેવાય છે. જેના કારણે આજે શહેરના ગણેશજીના મદિરોમાં વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડયા હતા. પાલનપોર પાટિયા વિસ્તારમાં આવેલા ગણેશજી મંદિરમાં ભક્તોની  ભારે ભીડ હોવાથી દર્શન માટે ખાસ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આજે અગારકી ચોથ હોવાથી શહેરનાતમામ ગણેશ મંદિરોમાં વહેલી સવારથી જ પૂજા અર્ચના શરૃ કરી દેવામાં આવી હતી. દિવસ દરમિયાન ભક્તોની ભીડ સાથે મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું પણ આ?ોજન કરવામાં આવ્યું હતું. ગણેશ ભક્તો આ ચોથને ભારે શ્રધ્ધાપૂર્વક ઉજવતાં મંદિરોમાં દિવસ દરમિયાન ગણેશજીનો નાદ સાંભળવા મળ્યો હતો.

 Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/surat/angarki-chaturthi-2018

કેન્દ્રીય કર્મચારીઓનો તહેવારો સુધરશેઃ DA વધશેઃ ૭માં પગાર પંચથી વંચિતોને પણ મળશે ખુશખબર
 ર૦,૦૦૦ કર્મચારીઓને પગાર પંચનો લાભ નથી મળ્યોઃ ૩૦ ઓગસ્ટ સુધીમાં ઉકેલઃ કનિદૈ લાકિઅ પે-બેંડવાલા કર્મી-પે-મેટ્રીકસમાં થશે ટ્રાન્સફરઃ DOPTએ સર્વિસ ર૯મીએ કર્યા ફેરફાર નવી દિલ્હી તા. ૩૧ : બે વર્ષ પહેલા સાતમા પગાર પંચનો કનિદૈ લાકિઅ અમલ થવા છતાં અકિલા હજારો કેન્દ્રિય કર્મચારીઓને હજી સુધી તેનો લાભ નથી મળી રહ્યો. હવે કેન્દ્ર સરકારે આવા તમામ કર્મચારીઓની આ મુશ્કેલી નિવારવાની કનિદૈ લાકિઅ પહેલ કરી છે કેન્દ્રએ બધા મંત્રાલયો અને વિભાગોને ચોખ્ખુ કહી દીધું છે. કે અકીલા ૩૦ ઓગસ્ટ સુધીમાં બધી કોશિષ કરીને પણ કર્મચારીઓને સાતમાં  કનિદૈ લાકિઅ પગાર પંચના લાભ મળતા થાય એવા પ્રયત્નો કરવા દરમ્યાન લાખો કર્મચારીઓનું ડીએ પણ વધશે તહેવારોમાં થશે એલાન. સુત્રો અનુસાર મોટા ભાગના કેસ એવા છે કનિદૈ લાકિઅ જેમ)ં પે-બેડ અને પે.મેટ્રીકસમાં ફેરફારની મુશ્કેલી છે. પહેલા કેન્દ્રીય કર્મચારીઓને પે-બેડ પ્રમાણે પગાર મળતો હતો પણ સાતમા પગાર પંચની ભલામણો કનિદૈ લાકિઅ લાગુ થયા પછી પે-બેંની જગ્યાએ પે-મેટ્રીકસ લાગુ કરાયો છે. પણ તેના માટે ફેરફાર કરવા જરૂરી હતા. આ બાબતેજ  લાગભાગ ર૦ હજાર કર્મચારીઓનો મામલો કનિદૈ લાકિઅ ટેકનીકલ મુશ્કેલીમાં અટવાઇ ગયો એટલે તેમને સાતમા પગાર પંચનો લાભ નહોતો મળી રહ્યો હવે ડીઓ પીટીએ આવા બધા કર્મચારીઓને મોટી રાહત આપતા તેમને પગાર કનિદૈ લાકિઅ પંચનો લાભ આપવા માટે સર્વિસ રૂલમાં ફેરફાર કરીને પે-પેટ્રીકસ પ્રમાણે બધું નકકી કરવાનો આદેશ આપ્યો છે. ૩૦ ઓગસ્ટ સુધીમાં આ કામ કરી લેવાનું કહેવામાં આવ્યુ ંછે.ેજણાવી દઇએ કે કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર ર૦૧૬માં પ૦ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને એટલાજ પેન્શનરો માટે ૭ મા પગાર પંચની ભલામણો લાગુ કરી હતી.  લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે ટુંક સમયમાં ખુશખબર આવી શકે છે. સરકાર મોંઘવારી ભથ્થું વધારવાની તૈયારીમાં છે સુત્રો અનુસાર તહેવારોની મોસમ પહેલા તેને લાગુ કરવાની તૈયારી છે. જો કે સરકાર મોંઘવારી ભથ્થુ વધારવા માટેનો આધાર બદલવાની છે. અને આવનાર વધારો નવા નિયમ હેઠળ થશે આ પહેલા આ વર્ષે માર્ચમાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં ર ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. (૬.૭) (11:25 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/31-07-2018/140237

બેંક કામદારોનાં વેતન વધારા પ્રશ્ને બેઠક અનિર્ણિત રહીઃ ઓગસ્ટમાં સમજુતીની આશાઃ ૪ બેઠકો યોજાશે
 IBA દ્વારા ર ટકાને બદલે ૬ ટકાની ઓફર થઇઃકર્મચારી સંગઠનોએ રપ કનિદૈ લાકિઅ ટકાની કરી માંગઃ ઓગસ્ટની ૮, ૧૭, ૧૮, ર૭-ર૮ મીએ બેઠકોઃ સંતોષજનક ઓફર થાય તેવી શકયતા નવી દિલ્હી તા. ૩૧ :.. બેંક કામદારોના પગાર વધારવાનો પ્રસ્તાવ કનિદૈ લાકિઅ માત્ર બેઠકો અકિલા પુરતો  સીમિત રહી ગયો હોય તેવુ જણાય છે. ઇન્ડીયન બેંક એસોસીએશન (આઇબીએ) સાથે પગાર વધારા પ્રશ્ને કર્મચારી સંગઠનો સાથે કનિદૈ લાકિઅ યોજાયેલી બીજા દોરની મંત્રણા બેનતીજા મુજબની રહી હતી. આ બેઠકમાં આઇબીએ દ્વારા અકીલા બેંક કર્મચારી સંગઠનોને ર ટકા પગાર વધારાની ઓફર વધારીને ૬ કનિદૈ લાકિઅ ટકા કરવા ઓફર કરી હતી જેનો કર્મચારી સંગઠનો એ અસ્વીકાર કર્યો હતો. બેંક કર્મચારીઓ સાથે મે મહિનામાં બેઠક યોજાઇ હતી જેમાં ર ટકા વધારાનો પ્રસ્તાવ કનિદૈ લાકિઅ આપવામાં આવ્યો હતો જે પછી નારાજ કર્મચારી સંગઠનોએ ર દિવસની હડતાલ પણ પાડી હતી. બેંક કામદારો રપ ટકા વેતન વધારાની માંગણી કરી રહ્યા છે. ગઇકાલે કનિદૈ લાકિઅ યોજાયેલી બેઠકમાં બેંક કર્મચારીઓને ગત પ્રસ્તાવથી ૩ ગણો વધુની ઓફર કરાઇ હતી. જો કે બેંક કર્મચારી સંગઠનો ને આઇબીએ એ વાતચીતની વધુ એક તક કનિદૈ લાકિઅ આપવા પણ જણાવ્યું હતું. નવી ઓફર હેઠળ ઓગસ્ટમાં અલગ અલગ મુદ્ે ૪ તબકકાની બેઠકો બાદ નકકી થશે કે પગાર વધારાની ફોર્મ્યુલા કયા પ્રકારની હશે. પ્રથમ કનિદૈ લાકિઅ બેઠક ૮ ઓગસ્ટે યોજાશે જેમાં મેડીકલ ઇન્સ્યુરન્સ પર ચર્ચા થશે તો ૧૭ ઓગસ્ટે બીજી બેઠક તો ૧૮ ઓગસ્ટે બેંકોની નાની કમીટીઓ સાથે બેઠક યોજાશે. ર૭ અને ર૮ ઓગસ્ટે પગાર પર સમજુતી માટે આ દોરની અંતિમ બેઠક યોજાશે. છેલ્લી વેતન સમજુતી મે-ર૦૧પ માં થઇ હતી જે નવે. ર૦૧ર થી લઇને ઓકટોબર ર૦૧૭ સુધીની હતી. નવે. ર૦૧૭ થી ૧૧ મો કરાર થવાનો છે. આશા છે કે હવે પછીની બેઠકોમાં તમામ મુદાના ઉકેલ આવી જશે અને આઇબીએ એક સંતોષજનક સેલેરીની ઓફર આપી શકે  છે. (પ-૧૦)   (11:27 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/31-07-2018/140239

RTE હેઠળ સંબંધિત તમામ બાળકને પ્રવેશ આપવા આદેશ
 પ્રવેશ અંગેની અરજી પર હાઇકોર્ટનો ચુકાદો : લઘુમતી સમાજના લોકો દ્વારા ચલાવાતા લઘુમતી શૈક્ષણિક ટ્રસ્ટનું સ્ટેટસ કનિદૈ લાકિઅ આપોઆપ ન મળી જાય : કોર્ટનું અવલોકન અમદાવાદ, તા.૩૦ : રાજયમાં સમાજના ગરીબ અને નબળા વર્ગના બાળકોને રાઇટ ટુ એજયુકેશન(આરટીઇ) એકટ હેઠળ વિનામૂલ્યે કનિદૈ લાકિઅ પ્રવેશ અકિલા અંગેની જાહેરહિતની રિટ અરજીમાં ગુજરાત હાઇકોર્ટે પોતાનો મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો. જેમાં જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ કનિદૈ લાકિઅ એ.વાય.કોગજેની ખંડપીઠે આરટીઇ એકટ હેઠળ કરાયેલી અરજીઓ અન્વયે સંબંધિત તમામ અકીલા બાળકોને પ્રવેશ આપવા રાજય સરકારને આદેશ કર્યો છે. જે બાળકોના કનિદૈ લાકિઅ પ્રવેશ અંગે અરજી કરાયેલી હશે તે તમામને પ્રવેશ આપવા હાઇકોર્ટે સરકારને સ્પષ્ટ તાકીદ કરી છે. સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવ દ્વારા કરાયેલી કનિદૈ લાકિઅ અરજીમાં હાઇકોર્ટે આ ચુકાદો જાહેર કરતાં જણાવ્યું હતું કે, ટેકનીકલ કારણોસર જે અરજીઓને રદબાતલ કરાઇ હતી, તેઓને પણ ફરીથી તક આપવામાં આવે અને કનિદૈ લાકિઅ પ્રથમ રાઉન્ડ બાદ બાકી રહી ગયેલા તમામ બાળકોને આરટીઇ હેઠળ શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે. દરમ્યાન હાઇકોર્ટે પોતાના ચુકાદામાં લઘુમતી શાળાઓ અને કનિદૈ લાકિઅ તેના સ્ટેટસને લઇને મહત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું હતું કે, લઘુમતી સમાજના લોકો દ્વારા ચલાવાતા લઘુમતી શૈક્ષણિક ટ્રસ્ટનું સ્ટેટસ આપોઆપ ના કનિદૈ લાકિઅ મળી જાય. જે શાળાઓ, સંસ્થાઓ, ટ્રસ્ટો લઘુમતી તરીકેની જરૂરી માન્યતા ધરાવે છે તેઓને સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ આરટીઇના દાયરામાંથી બાકાત રખાય છે પરંતુ જેમની પાસે આવી કોઇ માન્યતા નથી તેઓએ આરટીઇ હેઠળ ૨૫ ટકા લેખે બાળકોને ધોરણ-૧માં વિનામૂલ્યે પ્રવેશ આપવાનો રહેશે. હાઇકોર્ટના આ હુકમથી લઘુમતી શાળાઓ અને ટ્રસ્ટોને ઝટકો લાગ્યો હતો. જેને પગલે તેઓએ આ હુકમ સામે સુપ્રીમકોર્ટમાં જવું હોઇ બે અઠવાડિયાનો સ્ટે માંગ્યો  હતો અને અગાઉ આપેલી વચગાલાની રાહત ચાલુ રાખવા વિનંતી કરી હતી. હાઇકોર્ટે આ રજૂઆત ગ્રાહ્ય રાખી તા.૧૪ ઓગસ્ટ સુધીમાં તેઓને સુપ્રીમકોર્ટમાં જવાની મંજૂરી આપી હતી. દરમ્યાન અરજદાર ચંદ્રવદન ધ્રુવે જણાવ્યું હતું કે, જે શાળાઓ લઘુમતી તરીકેની માન્યતા ધરાવતી નથી તેમછતાં તેઓએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રિટ અરજી દાખલ કરતાં કાનૂની પ્રક્રિયાના કારણે રાજયના ૪૫ હજારથી વધુ બાળકોના ધોરણ-૧ના પ્રવેશમાં વિલંબ થયો છે. રાજયમાં કુલ ૫૩,૪૯૦ બાળકો પ્રવેશથી વંચિત રહી ગયા છે. હાઇકોર્ટે પણ તેના ચુકાદામાં બીજો રાઉન્ડ કયારથી જાહેર કરવો તેની કોઇ સ્પષ્ટતા કરી હોવાનું જણાતું નથી તેથી હવે સરકાર આરટીઇ હેઠળ પ્રવેશ અંગેનો બીજો રાઉન્ડ કયારે જાહેર કરે છે અને કેટલા બાળકોને બીજા રાઉન્ડમાં પ્રવેશઆફશે તે અંગે ગંભીર પ્રશ્નાર્થ છે. જો કે, હાઇકોર્ટે આરટીઇ હેઠળ અરજી કરનાર તમામ બાળકોને પ્રવેશ આપવા કહ્યું હોઇ સરકારે તમામ બાળકોને પ્રવેશ આપીને વૈધાનિક અને નૈતિક ફરજ અદા કરવી જોઇએ એમ તેમણે ઉમેર્યું હતું. (9:15 am IST)
Source :- https://www.akilanews.com/Gujarat_news/Detail/31-07-2018/83720

ગુજરાન કેમ ચલાવવુ?
 આંગણવાડી વર્કર બહેનો ત્રણ - ત્રણ મહિનાથી પગાર વિહોણી : તંત્ર દયાહીન
 આંગણવાડી વર્કર - હેલ્પરોનો પગાર તાત્કાલિક ચૂકવવા સામાજીક કાર્યકર કનિદૈ લાકિઅ સવજીભાઇ ફળદુની રજૂઆત રાજકોટ તા. ૩૧ : રાજ્ય સરકારની યોજના અંતર્ગત ચાલતી આંગણવાડીઓ સંભાળતી વર્કર અને હેલ્પર બહેનોને છેલ્લા ત્રણ - ત્રણ કનિદૈ લાકિઅ મહિનાથી પગાર અકિલા નહી મળતા આ નબળા વર્ગની બહેનોને ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે આ બહેનોને વહેલી તકે પગાર ચૂકવવા સામાજીક કનિદૈ લાકિઅ કાર્યકર સવજીભાઇ ફળદુએ મ્યુ. કમિશ્નરને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે અકીલા કે, આર.એમ.સી.ની આંગણવાડીઓની અંદર ફરજ બજાવતા વર્કર તથા કનિદૈ લાકિઅ હેલ્પર બહેનોના ઘરના પરિવારની પરિસ્થિતિ નબળી હોઇ ભાડાના મકાન રહેતા હોઇ તેમાં ઘણા ખરા વિધવા બહેનો હોઇ તેમના ઘરના પરિવારનું પગારના રૂપિયાથી કનિદૈ લાકિઅ ગુજરાન ચલાવતા હોઇ આર્થિક પરિસ્થિતિમાં મોંઘવારીના સમયગાળામાં પારાવાર મુશ્કેલી પડતી હોઇ તેવા સંજોગોમાં અમુક આંગણવાડી બહેનોના મે મહિનાના પગાર કનિદૈ લાકિઅ જમા થયા હોઇ બાકીના બહેનોના મે તથા જૂન મહિનાના પગાર જમા થયેલ નથી તથા ચાલુ જુલાઇ મહિનો પુરો થતો હોઇ તેમ ૩ મહિનાનો પગાર બાકી રહેતા તેવા સંજોગોમાં કનિદૈ લાકિઅ ઘરના પરિવારનું ગુજરાન ચલાવવું તે બહેનો માટેની અગ્નિ પરીક્ષા બરાબર કટોકટીમાં પસાર થવું પડતું હોવાથી આર.એમ.સી.ની આંગણવાડીઓના વર્કર કનિદૈ લાકિઅ તથા હેલ્પર બહેનોના બાકી નીકળતી રકમના પગારના રૂપિયા તત્કાલ તેમના બેંક ખાતામાં જમા કરાવી અપાવા માંગ ઉઠી હતી. (4:00 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/31-07-2018/83733

૨૦૦૩ સુધીમાં રજીસ્ટર થયેલા વાહનો થંભી જશે
 ગુજરાત સરકાર લઇ રહી છે મોટો નિર્ણય અમદાવાદ તા. ૩૧ : ગુજરાત સરકાર દ્વારા હાલ ૧૫ વર્ષથી વધુ જૂના વાહનોને માર્ગ કનિદૈ લાકિઅ પરથી હટાવવા માટેની વિચારણા કરી રહી છે. તેવામાં માત્ર સુરતની વાત કરવામાં આવે તો સરકાર આ નિર્ણયની વિચારણા કર્યા બાદ અમલમાં મૂકે તો લગભગ કનિદૈ લાકિઅ ૯ લાખ જેટલા અકિલા વાહનોને સુરતના માર્ગ ઉપરથી હટાવવા પડે એમ છે. તેવામાં જો આ જુના વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે તો ગુજરાતના મોટા કનિદૈ લાકિઅ શહેરો જેવા કે, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરાના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી અકીલા છૂટકારો મળી શકે છે. તે ઉપરાંત પોલ્યુશનને લઈને પણ મોટો કનિદૈ લાકિઅ ફાયદો થઈ શકે છે. આમ જોવા જઈએ તો માત્ર સુરતમાં જ નવ લાખ જુના વાહનો રોડ પર દોડી રહ્યાં છે તો આખા ગુજરાતનો આંકડો કરોડોમાં પહોંચશે તેમાં કોઈ કનિદૈ લાકિઅ જ શક નથી. ગુજરાત રાજય સરકાર દ્વારા હાલ સમગ્ર ગુજરાત રાજયમાંથી ૧૫ વર્ષ જૂના વાહનો એટલે કે ૨૦૦૩ પહેલા રજિસ્ટર કરવામાં આવેલા વાહનો માર્ગ ઉપરથી કનિદૈ લાકિઅ હટાવવા માટે વિચારણા કરી રહી છે. ત્યારે જો આપણે આંકડા પર નજર કરીએ તો. સુરત શહેરમાં ૨૦૦૩ પહેલા ૮,૯૬,૮૪૪ વાહનો રજિસ્ટર થયા છે. તેવામાં ૨૦૧૮ની કનિદૈ લાકિઅ વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં વાહનોની સંખ્યા ૩૧,૪૮,૪૭૦ થઈ ગઈ છે, જેમાં નવ લાખ એવા વાહનો છે, જેમના પંદર વર્ષ પૂરા થઈ ગયા છે. આ નિર્ણય કનિદૈ લાકિઅ પાછળ સરકારનો મુખ્ય હેતું ટ્રાફિક નિવારણ સાથે પ્રદૂષણનું લેવલ નીચે લાવવાનો છે. તે ઉપરાંત સુરત જેવી સીટીઓમાં ચાલી રહેલ સ્માર્ટ સીટીના નિર્માણમાં પણ આ નિર્ણયને સકારાત્મક અસર થઈ શકે છે. સુરતના આરટીઓ ડીકે ચાવડાએ આ વિશે જણાવતા કહ્યું હતુ કે, 'સરકાર દ્વારા ૧૫ વર્ષ જૂના વાહનો માટે અમારી પાસે ડેટા મંગાવવામાં આવ્યા હતા જે ડેટા અમારા દ્વારા મોકલી આપવામાં આવ્યા છે. જો કે સરકાર આ વિચારણા કરી વિચારણાનો અમલ કરે તો ખરેખર ટ્રાફિકની સમસ્યામાંથી કેટલેક અંશે છુટકારો મળી શકે ઉપરાંત સ્માર્ટ સીટીને લઇને જે પ્રદુષણની માત્રા છે એને પણ ઓછી કરવામાં મદદ મળી રહેશે.' સરકારે દ્વારા કરેલા પંદર વર્ષ જૂના વાહનો પરના પ્રતિબંધ ઉપરાંત અન્ય પણ એક નિર્ણય પર વિચારણા કરવમાં આવી રહી છે, જે અંતર્ગત એક વ્યકિતના નામે માત્ર એક જ વાહન રજિસ્ટર કરવામાં આવે. જો સરકાર દ્વારા આ પ્રકારનો કાયદો અમલમાં મૂકવામાં આવે તો કદાચ વાહનોની સંખ્યાને કંટ્રોલ કરી શકાય તેવું હાલ આપણે અનુમાન કરી શકીએ. જો કે, સરકાર આ નિર્ણય અમલમાં લાવશે તો રાજયભરમાંથી તેમને વિરોધનો સામનો પણ કરવો પડી શકે છે, તેથી સરકાર હવે આ નિર્ણયને કેવી રીતે જાહેર જનતા સામે લઈને આવે છે તે જોવાનું રહેશે.(૨૧.૪) (9:47 am IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/31-07-2018/83722

થશે ઢગલાબંધ ફાયદા.... ટેકસેબલ નથી તમારી આવક તો પણ ભરો IT રિટર્ન
 નવી દિલ્હી તા. ૩૧ : કેટલાક લોકોનું કહેવું છે કે કમાણી ટેકસના સ્લેબમાં આવતી નથી તો પછી કનિદૈ લાકિઅ ઈનકમ ટેકસ રિટર્ન (ITR) ફાઈલ કરવાથી શું ફાયદા? ઈનકમટેકસના કાયદા મુજબ ૨.૫ લાખ રૂપિયા કરતા ઓછી આવક ધરાવાતા લોકોને રિટર્ન ફાઈલ કરવું ફરજિયાત કનિદૈ લાકિઅ નથી. આવી જ અકિલા રીતે ૬૦ વર્ષથી વધુ અને ૮૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોની વાર્ષિક આવક ૩ લાખ રૂપિયા અને ૮૦ વર્ષથી ઉપરના લોકોની વાર્ષિક આવક ૫ કનિદૈ લાકિઅ લાખ રૂપિયા છે તો તેમને આઈટીઆર ભરવું ફરજિયાત નથી. સંભવ છે કે તમે કોઈ જગ્યાએ અકીલા રોકાણ કર્યું છે અને તે રોકાણ પર TDS (ટેકસ ડિડકટેટ એટ સોર્સ) કનિદૈ લાકિઅ કપાયો હોય તો આઈટીઆરથી તમને સીધો ફાયદો થશે. આ TDSને તમે આગામી વર્ષે  કલેમ કરીને મેળવી શકો છો. તમને કેટલી રકમ સુધીની લોન આપી શકાય અથવા કનિદૈ લાકિઅ તમે કેટલી વખત લોન લેવા માટે યોગ્ય છો, તે તમારી આવકથી નક્કી થાય છે. તમારી આવકની પુષ્ટિ તમારી તરફથી આઈટીઆર દ્વારા થાય છે. કિલયર ટેકસના ફાઉન્ડર કનિદૈ લાકિઅ અને સીઈઓ અર્ચિત ગુપ્તા કહે છે કે, 'ઈન્કમ ટેકસ રિટર્નથી તમારી કુલ વાર્ષિક આવક અને તેના પર આપવામાં આવેલા ટેકસની વિસ્તૃત જાણકારી મળે છે. કનિદૈ લાકિઅ અલગ અલગ એજન્સીઓ આઈટીઆરમાં આપેલી માહિતીના આધારે લોન અને વીઝા આપવાનો નિર્ણય કરે છે.' ઈનકમ ટેકસના નિયમ અનુસાર કેપિટલ ગેન પર લગાતા ટેકસ ભરવાની કનિદૈ લાકિઅ પરવાનગી તેવા લોકોને આપવામાં છે જેમણે સંબંધિત વર્ષનું આઈટીઆર ફાઈલ કર્યું હોય છે. આવી સ્થિતિમાં તમે આ આઘાર પર આઈટીઆર ફાઈલ ન કરીને જોખમ નહીં ઉઠાવી શકો કે તમારી આવક ટેકસના સ્લેબમાં આવતી નથી. તમારે રિટર્ન જરૂર ફાઈલ કરવું જોઈએ તેનો ફાયદો એ થશે કે અત્યારે તમારે જે નુકસાન થયું છે તેની ભરપાઈ તમે આગળના વર્ષોમાં કરી શકશો. મોટર વ્હિકલ એકટ મુજબ અકસ્માતમાં થયેલા મૃત્યુ કે ઈજાના કેસમાં વળતરનો દાવો કરવા માટે આઈટીઆર આવકના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવે છે. વિમા કંપની જયારે વળતરની રકમ નક્કી કરે છે ત્યારે સંબંધિત વ્યકિતની આવકને ધ્યાનમાં રાખવામાં આવે છે. તે સમયે આઈટીઆર પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. જો તમે પ્રાઈવેટ સેકટરમાં કામ કરો છો તો સેલરી સ્ટેટમેન્ટ અને છ મહિના બેંક સ્ટેટમેન્ટ પણ માન્ય ગણવામાં આવે છે. એકસપર્ટ જણાવે છે કે, 'કાયદાનું પાલન કરતા નાગરિક તરીકે તમારે તમારી આવક ઈનકમ ટેકસ ડિપાર્ટમેન્ટને જણાવવી જોઈએ. દેશના કાયદાના સન્માન માટે પણ તમારે આઈટીઆર ભરવું જોઈએ.'(૨૧.૬) (11:22 am IST)

Source :- https://www.akilanews.com/Main_news/Detail/31-07-2018/140229

5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે સુવિધામાં વધારો
 : હવેથી એક જ રિટર્ન ભરવું પડે તેવી થઇ રહેલી જોગવાઈ : GST રિટર્ન માટેના મુસદ્દામાં કરાયેલી ભલામણ કનિદૈ લાકિઅ અમદાવાદ : વાર્ષિક રૃા. ૫ કરોડથી વધુ રકમનું ટર્નઓવર ધરાવતા મોટા એસેસીઓ માટે એક જ રિટર્ન ફાઈલ કરવાની સિસ્ટમ લાવવાની દરખાસ્ત જીએસટી કાઉન્સિલે કનિદૈ લાકિઅ જાહેર અકિલા કરેલા સૂચિત દસ્તાવેજમાં મૂકવામાં આવી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. માત્ર એક એસએમએસ કરીને પણ નિલ રિટર્ન કનિદૈ લાકિઅ ફાઈલ કરવાની સુવિધા આપવાની દરખાસ્ત પણ સૂચિત દસ્તાવેજમાં મૂકવામાં આવેલી છે. આ અકીલા સૂચિત દરખાસ્તમાં દર્શાવવામાં આવેલી વિગતો અંગે આમજનતા અને કનિદૈ લાકિઅ વેપારી આલમના અભિપ્રાયો મંગાવવામાં આવ્યા છે. ૨૮મી જુલાઈએ બહાર પાડવામાં આવેલા મુસદ્દામાં જણાવવામાં આવ્યું છે કે વેપારી મહિનાની દસમી તારીખ કનિદૈ લાકિઅ સુધીમાં જેટલા બિલ અપલોડ કરશે તેટલા બિલની વિગતો તેની સાથે ડીલ કરનારા વેપારીઓ ૧૧મી તારીખથી જોઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

Source :-https://www.akilanews.com/Main_news/Detail/31-07-2018/140247

HSRP માટેની મુદ્દત 5મી વખત વધારાઈ

:HSRP માટેની મુદ્દત 31 ઓગસ્ટ કરાઈ:8.50 લાખ જૂના વાહનમાં પ્લેટ ફીટ કરવાની બાકી:વાહનવ્યવહાર કમિશ્નરનું નિવેદન:લોકોની સુવિધા માટે સમય મર્યાદા લંબાવાઈ:અમદાવાદમાં 3.37 લાખ વાહનોમાં જ HSRP લગાવાઈ

Source :-https://www.akilanews.com/Fatafat_news/Detail/31-07-2018/5756

દેશના 50%થી વધારે જિલ્લાના ભૂજળ ઝેરી: રિપોર્ટ
 - દેશના ભૂજળમાં ખતરનાક ધાતુઓની માત્રામાં વધારો નવી દિલ્હી, તા. 31 જુલાઇ 2018, મંગળવાર ગામડાઓથી શહેરો સુધી ઔદ્યોગીકરણ અને નવીનીકરણની અસરના તે થઇ છે કે, હવે દેશના 50%થી વધારે જિલ્લાના ભૂજળ પીવા લાયક નથી રહ્યું. એક અગ્રણી સમાચાર પત્રના અહેવાલ પ્રમાણે ઉદ્યોગ અને ફેક્ટરીઓમાંથી નિકળતા કચરાથી જમીનની અંદર રહેલું પાણી દુષિત થઇ રહ્યું છે. જ્યારે ખેતીમાં સારા ઉત્પાદન માટે અને જંતુના નાશ માટે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓના ઉપયોગથી ભૂજળમાં નાઇટ્રેટનુ પ્રમાણ વધી ગયું છે. ચોમાસું સત્રની કાર્યવાહી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ભૂજળમાં નાઇટ્રેટની માત્રા સાથે જ ફ્લોરાઇડ, આર્યન, આર્સેનિક અને અન્ય ખતરનાક ધાતુંઓની માત્રા પણ વધી ગઇ છે. દેશના ભૂજળમાં કંઇ ધાતુનું પ્રમાણ કેટલું હોવું જોઇએ તેનો હિસાબ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યૂરો રાખે છે. તેવામાં ભારતના 50% જિલ્લાના ભૂજળમાં ધાતુંઓનું પ્રમાણ આ બ્યૂરોએ નક્કી કરેલા આંક કરતા ખૂબ વધારે છે. જળ સંસાધન રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે, દેશના 386 જિલ્લાઓના ભૂજળમાં નાઇટ્રેટ, 335 જિલ્લામાં ફ્લોરાઇડ, 301 જિલ્લામાં આર્યન, 212 જિલ્લામાં સેલિનિટી, 153 જિલ્લામાં આર્સેનિક, 93 જિલ્લામાં લેડ, 30 જિલ્લામાં ક્રોમિયન, 24 જિલ્લામાં કેડિયમ જેવી ઝેરી ધાતુંઓનું પ્રમાણ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યૂરોએ નક્કી કરેલા પ્રમાણ કરતા ઘણું વધારે છે. ભૂજળમાં કેમિકલની હાજરીની જાણકારી કેન્દ્રીય ભૂજળ બોર્ડના સભ્યો રાખે છે. જેમાં દેશભરમાં સ્થિત 15 હજાર કુવાઓના નેટવર્કની મદદથી પાણીની ગુણવત્તાનો ખ્યાલ મળ્યો છે અને ફરી એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરવામાં આવે છે. હાલના રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુંસાર પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, તેલંગણા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં આ ઝેરી ધાતુઓનું પ્રમાણ સૌથી વધારે છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/more-than-50-percent-of-districts-of-india-has-toxic-ground-water-report-kp

મોદી આધાર નંબર જાહેર કરે તો હું હેક કરી બતાવું, ફ્રેન્ચ હેકરનો પડકાર 
- નમસ્કાર નરેન્દ્ર મોદી, શું તમે આધાર નંબર જાહેર કરી શકો? નવી દિલ્હી તા. 31. જુલાઈ, 2018 મંગળવાર ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ આરએસ શર્માના આધાર સાથે જોડાયેલી માહિતી લીક કર્યા બાદ હેકર્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પડકાર આપ્યો છે. હેકર્સે વડાપ્રધાન મોદીને પોતાના ૧૨ અંકોનો નંબર જાહેર કરવા પડકાર આપ્યો છે. આ પડકાર ટ્રાઈ અધ્યક્ષના આધારની જાણકારી હેક કરી લીક કરનારા ફ્રાન્સના હેકર ઈલિયટ એલ્ડરસને આપી છે. એલ્ડરસને ટ્વિટ કરી કહ્યું છે કે જો વડાપ્રધાન મોદીની પાસે કોઈ આધારકાર્ડ છે, તો તેઓ તેના નંબરને જાહેર કરે. અહીં જણાવવાનુ કે આધાર ડેટાની સુરક્ષાને લઈને વારંવાર પ્રશ્નો ઉઠી રહ્યા છે. વડાપ્રધાન પોતે કેટલીક વખત આધાર ડેટા સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાની વાત કહી ચૂક્યા છે. યુઆઈડીએઆઈ સહિત કેટલીક સરકારી સંસ્થાઓ અને અધિકારીએ કેટલીક વખત ડેટા સુરક્ષિત હોવાનુ કહ્યુ છે. જ્યારે તેનાથી વિપરીત આધાર ડેટા લીક થવાની ઘટનાઓ સામે આવી છે. શનિવારે ટ્રાઈના અધ્યક્ષ આરએસ શર્માએ પણ આધાર ડેટા સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાનો દાવો કરી પોતાનો ૧૨ અંકોનો આધાર નંબર જાહેર કર્યો હતો. શર્મા તરફથી આધાર નંબર જાહેર કર્યા બાદ થોડા કલાક બાદ ફ્રાન્સના સુરક્ષા વિશેષજ્ઞા ઈલિયટ એલ્ડરસને તેમના આધાર સાથે જોડાયેલી માહિતી ટ્વિટર દ્વારા જાહેર કરી દીધી હતી.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/if-modi-declares-the-adhar-number-then-i-will-be-able-to-hack-the-french-hacker-challenge

નવરાત્રિ વેકેશનના નિર્ણયમાં આખરે સરકારે પોતાની ભૂલ સુધારી
 - દિવાળી વેકેશનમાં કાપ મુકીને સરકારે શૈક્ષણિક દિવસો સરભર કર્યા - દિવાળીના વેકેશનમાં સાત દિવસનો કાપ મુક્યો ગાંધીનગર, તા. 31 જુલાઇ 2018, મંગળવાર રાજ્યમાં પ્રથમ વખત નવરાત્રીમાં વેકેશનને લઈને રાજ્ય સરકારે સુધારી સત્તાવાર જાહેરાત કરી છે કે ગુજરાતની તમામ શાળા કોલેજોમાં નવરાત્રી વેકેશન 7 દિવસનું રહેશે. જોકે દિવાળી વેકેશનના દિવસોમાં સાત દિવસનો કાપ મુકાયો છે. નવરાત્રિને ધ્યાનમાં રાખી જાહેર કરવામાં આવેલા વેકેશનમાં આજે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જેમાં તેમણે કહ્યું કે વેકેશનનો નિર્ણય કોઇ ઉતાવળભર્યો નહીં પરંતુ વિચારપૂર્વક લેવામાં આવ્યો છે. નવરાત્રિ વેકેશન અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેસ કોન્ફરન્સ - નવરાત્રિ સમયે શાળામાં પાંખી હાજરીના કારણે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો - રાજ્ય સરકારે નવરાત્રિની તારખમાં ફરી ફેરફાર કર્યો - રાજ્યની તમામ શાળાઓમાં વેકેશન, CBSE શાળાને નહી લાગુ પડે વેકેશન - એક પણ દિવસનું શૈક્ષણિક કાર્યને અસર કરતું નથી - દિવાળી વેકેશનમાં કાપ મુકીને નવરાત્રિ વેકેશન આપવામાં આવ્યું છે. - 10 ઓક્ટોબરથી 17 ઓક્ટબર સુધી વેકેશનને આવકાર - નવરાત્રિ વેકેશન સાત દિવસ અને દિવાળી વેકેશનમાં દસ દિવસનો આવકાર - પુન: વિચાર કરીને તારીખમાં ફેરફાર કર્યો છે. - દિવળીનું વેકેશન 5 નવેમ્બરથી 18 નવેમ્બર સુધીનું રહેશે, સાત દિવસનો કાપ મુકાયો - પહેલા દિવાળી વેકેશન 5 નવેમ્બરથી 25 નવેમ્બર સુધીનું હતું - દરેક વર્ગના લોકોએ સરકારના નિર્ણયને આવકાર્યો - નવરાત્રી વેકેશનના નિર્ણયને ખાસ કરીને યુવા વર્ગે આવકાર્યું છે - ધો.9ની પરીક્ષા 19 ઓક્ટોબરથી શરૂ થશે

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/state-education-minister-bhupendrasinh-chudasama-held-press-conference-on-navaratri-vacati


Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  1 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here

CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Source :-http://dabhiraj.blogspot.in/, http://www.hiteshpatelmodasa.com/,http://www.bhaveshsuthar.in
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Saturday 28 July 2018

કર્મચારી નોકરીમાં ૫ વર્ષ પુરા ન કરે તો પણ ગ્રેચ્યુઇટીની રકમ મેળવવા માટે હકદાર બને છે - મંદીગ્રસ્ત રિયલ એસ્ટેટ સેકટરમાં પ્રાણ ફૂંકવા નવા ફલેટ પર GST ઘટાડવા તૈયારી - બેંક કામદારોનો પગાર વધશેઃ સોમવારે મહત્વની મંત્રણાઃ નવી ફોર્મ્યુલા ઘડાઈઃ સહમતી થવાના એંધાણ - આઈટી રિટર્ન ફાઈલ નહિ કરનાર બ્લેકલિસ્ટેડ થશે - વધુ કેટલીક વસ્તુઓ પર જીએસટી ઘટવાના જેટલીએ આપ્યા સંકેત - લ્યો બોલો... યુનો ઠનઠન ગોપાલઃ દેવાળુ ફુંકવાની તૈયારીમાં સંયુકત રાષ્ટ્ર પાસે પૈસા ખલ્લાસ ! - સંમતિ વગર યુઝર્સનો પર્સનલ ડેટા ઉપયોગ કરનાર કંપનીઓને થશે કરોડોનો દંડ - હવે સરકારી બેંકોમાં અધિકારીઓને મળશે કામના આધારે પગાર? - ધો. ૯ થી ૧૨માં શિક્ષકોની ભરતી માટે કાલે શિક્ષકોની ભરતી માટે ટેટની પરીક્ષા

Gujarat Teacher Group

Product Price For Customer :- GSG Customer Click Here
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)  
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  1 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

શું તમે જાણો છો ? કર્મચારી નોકરીમાં ૫ વર્ષ પુરા ન કરે તો પણ ગ્રેચ્યુઇટીની રકમ મેળવવા માટે હકદાર બને છે 
ખાસ સંજોગોમાં ૫ વર્ષનો નિયમ લાગુ પડતો નથી : કોર્ટ કનિદૈ લાકિઅ પણ ગ્રેચ્યુઇટીની રકમ અટકાવી શકતી નથી નવી દિલ્હી તા. ૨૮ : સામાન્ય રીતે માનવામાં આવે છે કે, ગ્રેચ્યુઇટીની રકમ કર્મચારી નિવૃત્ત થાય કે કનિદૈ લાકિઅ નોકરી છોડે તો અકિલા જ મળી શકે છે અને આના માટે ૫ વર્ષ સતત નોકરી કરી હોવી જોઇએ પણ કોઇ વિષમ પરિસ્થિતિમાં કર્મચારીને ૫ વર્ષ પુરા ન કર્યા હોવા કનિદૈ લાકિઅ છતાં પણ ગ્રેચ્યુઇટી મળવાનો અધિકાર પ્રાપ્ત થાય છે.   ગ્રેચ્યુઇટી એકટ મુજબ અકીલા કર્મચારીને માલિક પાસેથી ૫ વર્ષ નોકરી કર્યા બાદ ગ્રેચ્યુઇટી કનિદૈ લાકિઅ મળવાની પાત્રતા પ્રાપ્ત થતી હોય છે. જોકે કર્મચારીનું મૃત્યુ કે મોટી દુર્ઘટના કે બિમારીમાં અપંગ થવાની સ્થિતિમાં ૫ વર્ષનો નિયમ લાગુ પડતો કનિદૈ લાકિઅ નથી. આવા સંજોગોમાં માલિકે ગ્રેચ્યુઇટીની રકમ કર્મચારીને કે તેના વારસને ચુકવવી પડે છે. ગ્રેચ્યુઇટીના હકદાર કોઇપણ કર્મચારીને તેની ચુકવણીના કનિદૈ લાકિઅ ૩૦ દિવસ પહેલા અરજી કરવાની હોય છે. જો કે અરજી ન કરે તો પણ માલિક તેની જવાબદારીમાંથી છટકી ન શકે. જો મોડેથી ચુકવાય તો કારણ જણાવવું પડે. ગ્રેચ્યુઇટીની કનિદૈ લાકિઅ મહત્તમ મર્યાદા ૨૦ લાખ છે. ૧૫ દિવસના વેતનની બરાબર દર વર્ષે ગ્રેચ્યુઇટીની રકમ બનતી હોય છે. ગ્રેચ્યુઇટી માટેની અરજી મળ્યા બાદ માલિકે કનિદૈ લાકિઅ ચુકવણાના ૧૫ દિ' પહેલા નિશ્ચિત તારીખ જણાવવી પડે એટલું જ નહિ અરજી મળ્યાના ૩૦ દિ'માં તેની ચુકવણી પણ કરવી પડે. જો ઇન્કાર કરાય તો કાયદેસરનું કારણ કર્મચારીને જણાવવું પડે. જો માલિક ઇન્કાર કરે કે ઓછી ચુકવે તો કર્મચારી કે તેના વારસ સહાયક શ્રમ કમિશનરને ફરિયાદ કરી શકે છે. નિવૃત્તિના ૯૦ દિવસમાં ફરિયાદ કરવી જરૂરી છે તે પછી વ્યાજબી કારણ આપવું પડે. કોઇ કર્મચારી પાસે લેણુ હોય તો પણ માલિક ચુકવણાની રકમ અટકાવી ન શકે. કોર્ટ પણ આ રકમને જપ્ત કરી નથી શકતી. પછી ભલે કર્મચારી સામે આપરાધિક કેસ કેમ ન હોય ? જો કર્મચારીએ સંસ્થા કે ફેકટરીને નુકસાન કર્યું હોય તો તેની ગ્રેચ્યુઇટી જપ્ત થઇ શકે છે.(૨૧.૧૬) (11:33 am IST)

 Source :- https://www.akilanews.com/Main_news/Detail/28-07-2018/139928

મંદીગ્રસ્ત રિયલ એસ્ટેટ સેકટરમાં પ્રાણ ફૂંકવા નવા ફલેટ પર GST ઘટાડવા તૈયારી
 ૩૩ ટકા અબેટમેન્ટને વધારી ૫૦ % કરવા ભલામણઃ જો આવું થયું તો GST નો બોજો ઘટશેઃ કનિદૈ લાકિઅ રિયલ એસ્ટેટ પર હાલ ૧૮ ટકા GST છે તે ઘટાડી ૧૨ ટકા અને અબેટમેન્ટ સાથે ૮ ટકા કરવા નીતિ આયોગની ભલામણ નવીદિલ્હી તા.૨૮: મંદીમાં અટવાયેલા રીયલ કનિદૈ લાકિઅ એસ્ટેટ ક્ષેત્રમાં અકિલા તેજી લાવવાના પ્રયાસો કરી રહેલી સરકારને જો નીતિ આયોગની ભલામણો યોગ્ય લાગશે તો નવા ફલેટ ખરીદનાર અને બિલ્ડરોને મોટી કનિદૈ લાકિઅ રાહત મળી શકે છે. આયોગે આ ક્ષેત્રને ગતિમાન કરવા માટે પ્રત્યક્ષ અને પરોક્ષ કરોમાં અકીલા છુટનું વિશેષ પેકેજ આપવાની ભલામણ કરી છે. આયોગે દિલ્હી કનિદૈ લાકિઅ જેવા મહાનગરો અને ટાયર-૧ શહેરોમાં નિર્માણાધીન પ્રોપર્ટી પર જીએસટીમાં હાલમાં ૩૩% એબેટમેન્ટને વધારીને ૫૦ % કરવાની ભલામણ કરી છે. જો આવું થશે કનિદૈ લાકિઅ તો નવા ફલેટ પર જીએસટીનો બોજ ઘણો ઓછો થશે. સુત્રોએ કહયું કે નીતિ આયોગે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય સાથે મળીને એક નોટ તૈયાર કરીને નાણા કનિદૈ લાકિઅ મંત્રાલયને મોકલી છે. હાલમાં કાર્યવાહક નાણામંત્રી પીયુષ ગોયલ સાથે થયેલ ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ બાબતે ચર્ચા પણ થઇ છે.  હાલમાં રીયલ એસ્ટેટ કનિદૈ લાકિઅ પર જીએસટી ૧૮ ટકા છે પણ જમીનના ભાવ પ્રમાણે ૩૩ ટકા એબેટમેન્ટ પછી અસરકર્તા દર ૧૮ ટકાથી ઘટીને ૧૨ ટકા થઇ જાય છે. સુત્રોએ કહયું કે આયોગે દિલ્હી કનિદૈ લાકિઅ જેવા મહાનગરો અને ટાયર-૧ શહેરોમાં ૩૩ ટકા એબેટમેન્ટ વધારીને ૫૦ ટકા કરવાની ભલામણ કરી છે. જો આવું થશે તો ફલેટ પર જીએસટીનો બોજ ઓછો થઇ જશે. એટલું જ નહી આયોગનું તો ત્યાં સુધી કહેવું છે કે, રીયલ એસ્ટેટ પર જીએસટી ઘટાડીને ૧૨ ટક અને એબેટમેન્ટ સાથે ૮ ટકા કરવામાં આવે. આયોગે આવકવેરા કાયદાની કલમ ૨૪ હેઠળ અક નાણાકીય વર્ષમાં વ્યાજના બદલે મળતી ર લાખની છુટની સીમા વધારીને સાડા ત્રણ લાખ કરવાની ભલામણ કરી છે. આના લીધે હાઉસીંગ લોન ભરતા લોકોને રાહત મળશે. સાથે જ વ્યાજની ચુકવણી માટે મળતી છુટની આ સુવિધાને કન્સ્ટ્રકશન દરમ્યાન પણ આપવાનું કહેવાયું છે. અત્યારે આ સુવિધા ફલેટનો કબ્જો મળ્યા પછી જ મળે છે.એજ રીતે આયોગે બિલ્ડરોને રાહત આપવા માટે આવકવેરાની કલમ ૩૨(પ) હેઠળ આવતા ભલામણો કે જેમાં કોઇ આવાસ પરિયોજનાને એક વર્ષ પુરૂ થયા પછી વેચાયા વિનાના ફલેટ પર નોશનલ રેંટલ વેલ્યુના આધારે બિલ્ડરે આવકવેરા ભરવાની જોગવાઇ છે તેને બંધ કરવાની પણ ભલામણ કરી છે. આયોગનું કહેવું છે કે, આ જોગવાઇને  બંધ કરવામાં આવે અથવા તો પછી તે મુદ્દતને ત્રણ વર્ષની કરવામાં આવે.સુત્રોનું કહેવું છે કે આયોગે પોતાની ભલામણોમાં એમ પણ કહયું છે કે જો કોઇ વ્યકિત પોતાની સ્થારવ મિલકત વેચીને બે મકાન ખરીદે તો તેને લોંગ ટર્મ કેપીટલ ગેઇન ટેકામાંથી મુકિત મળવી જોઇએ. હાલમાં ફકત એક મકાન માટે જ આ પ્રકારની છુટ અપાય છે. સુત્રોએ કહયું કે પરોક્ષ કરોના મુદ્દે આયોગે સીમેન્ટ સહિત બીજી નિર્માણ સામગ્રી પર જીએસટી ઘટાડવાની ભલામણો કરી છે. ઉલ્લેખનીય છે કે કાઉન્સીલની બેઠકમાં પેઇન્ટ અને વાર્નિશ જેવી વસ્તુઓ પર જીએસટી ઘટાડવાનો નિર્ણય લેવાયો હતો પણ સીમેન્ટ પર જીએસટી દર હજુ પણ ૨૮ ટકા છે. (૧.૭) (11:37 am IST)
Source :- https://www.akilanews.com/Main_news/Detail/28-07-2018/139934

બેંક કામદારોનો પગાર વધશેઃ સોમવારે મહત્વની મંત્રણાઃ નવી ફોર્મ્યુલા ઘડાઈઃ સહમતી થવાના એંધાણ
 ચૂંટણી આવતી હોવાથી સરકાર નારાજી વ્હોરવા તૈયાર નથીઃ અગાઉ આઈબીએ કનિદૈ લાકિઅ દ્વારા ૨ ટકા પગાર વધારાની ઓફર થઈ હતીઃ હવે બાંધછોડ માટે આઈબીએ તૈયાર નવી દિલ્હી, તા. ૨૮ :. બેંક કર્મચારીઓના પગારમાં ટૂંક સમયમાં વધારો થવાની કનિદૈ લાકિઅ આશા છે. અકિલા જો કે પહેલા ચરણની મીટીંગની નિષ્ફળતા પછી સરકારે બેંક કર્મચારીઓના પગાર વધારા માટે નવી ફોર્મ્યુલા તૈયાર કરી છે. ૩૦ જુલાઈએ કનિદૈ લાકિઅ ઈન્ડીયન બેંકસ એસોસીએશન (આઈબીએ) અને બેંક યુનિયનની મીટીંગ ૩૦ જુલાઈએ થવાની છે. અકીલા સૂત્રોનું કહેવું છે કે, ચૂંટણી હવે નજીક હોવાથી સરકાર બેંક કનિદૈ લાકિઅ કર્મચારીઓની નારાજગી વહોરવા નથી ઈચ્છતી. સરકાર હવે આ બાબત લાંબા સમય સુધી ખેંચવા નથી માગતી. આ જ કારણે આ મીટીંગમાં વચ્ચેનો રસ્તો કાઢીને સંમતિ કનિદૈ લાકિઅ બનાવવા પર જોર દેવાશે. પગાર વધારા માટે બેેંક યુનિયનો અને આઈબીએ વચ્ચે ૫ મેના રોજ મીટીંગ થઈ હતી. જેમાં આઈબીએ દ્વારા કર્મચારીઓને બે ટકા કનિદૈ લાકિઅ વધારાનો પ્રસ્તાવ મુકાયો હતો. આ પ્રસ્તાવના વિરોધમાં યુનિયનોએ બે દિવસની હડતાલ કરી હતી.   નાણા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ અનુસાર આ વખતે બેંક કનિદૈ લાકિઅ યુનિયનોને મોટા પગાર વધારાની ઓફર અપાશે પણ તેમા કેટલીક શરતો પણ હશે. જો બેંકો પોતાના કર્મચારીઓના પગારમાં મોટો વધારો કરશે તો તેમણે બીજા ખર્ચ કનિદૈ લાકિઅ ઘટાડવા પડશે. એટલે બેંકોએ એક બેલેન્સીવ એપ્રોચ રાખીને કામ કરવુ પડશે. બેંક કર્મચારીઓ આઉટસોર્સીંગનો વિરોધ કરી રહ્યા છે. તેઓ ઈચ્છે કે તેમને ઓવર ટાઈમના સીમીત નહીં પણ પુરા પૈસા મળવા જોઈએ. બેંક કર્મચારીઓ ખાલી જગ્યાઓ પર ભરતી અને પ્રમોશનની માંગ પણ કરી રહ્યા છે. આ માંગણીઓ પર કેટલીક સમજુતી કરીને કર્મચારીઓના પગાર વધારા બાબતે સંમતિ મેળવાય તેવી આશા છે. બેંક યુનિયનોનું કહેવું છે કે સરકાર બેંક કર્મચારીઓ સાથે મજાક બંધ કરે નહીંતર સરકારે આના ભયંકર પરિણામો ભોગવવા પડશે. નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સના વાઈસ પ્રેસીડેન્ટ અશ્વિની રાણાએ કહ્યું કે નોટબંધી દરમ્યાન બેંક કર્મચારીઓએ ૧૪ - ૧૪ કલાક કામ કરીને નોટબંધીને સફળ બનાવી હતી. આધારકાર્ડ બનાવવાનું કામ પણ બેંકોને સોંપાયુ. આ બેંકોનું કામ નથી છતા પણ બેંક કર્મચારીઓ તે કરે છે પણ તેના બદલામાં બેંક કર્મચારીઓને શું મળે છે ? તેમનો પગાર વધારો ૧ નવેમ્બર ૨૦૧૭થી કરવાનો હતો પણ સરકાર એ ટાળી રહી છે. જ્યારે અમે દબાણ કર્યુ ત્યારે પગારમાં ૨ ટકાનો ઘુઘરો પકડાવવાની કોશિષ કરાઈ રહી છે. (11:37 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/28-07-2018/139935

આઈટી રિટર્ન ફાઈલ નહિ કરનાર બ્લેકલિસ્ટેડ થશે
 આયકર વિભાગના પ્રસ્તાવને મળી ગઈ છે સૈધ્ધાંતિક મંજુરીઃ સીબીડીટી ટૂંક સમયમાં જાહેર કરશેઃ બ્લેકલિસ્ટ થયા બાદ શરૂ કનિદૈ લાકિઅ થશે સર્ચ ઓપરેશનઃ ખાતાની તપાસ થશેઃ બ્લેક મની લો હેઠળ થશે કાર્યવાહી નવી દિલ્હી, તા. ૨૮ :. જે લોકોની આવક આવકવેરાના દાયરામાં આવતી હોય અને કનિદૈ લાકિઅ જો તે નિશ્ચિત અકિલા સમયગાળામાં રીટર્ન ફાઈલ નહીં કરાવે તો તેને બ્લેક લીસ્ટેડ કરાશે. બ્લેક લીસ્ટ થયા પછી તેને ત્યાં સર્ચ ઓપરેશન ચલાવવામાં કનિદૈ લાકિઅ આવશે. તેના બેંક ખાતાઓ તપાસવામાં આવશે અને કાળા નાણાના કાયદા હેઠળ તેમના વિરૂદ્ધ અકીલા કાર્યવાહી થશે. સૂત્રો અનુસાર આવકવેરા વિભાગે આ બાબતનો કનિદૈ લાકિઅ પ્રસ્તાવ તૈયાર કરી લીધો છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ આ બાબતે ટૂંક સમયમાં નિર્દેશ બહાર પાડશે. સરકારે ઈન્કમ ટેક્ષ રીટર્ન ભરવાની મુદત કનિદૈ લાકિઅ એક મહિનો વધારી છે. હવે ૩૧ ઓગષ્ટ સુધી રીટર્ન ભરી શકાશે. આવક વેરા વિભાગના સૂત્રોનું કહેવું છે કે, આ વખતે ઈન્કમ ટેક્ષ રીટર્ન બાબતે સખ્તાઈ રાખવામાં કનિદૈ લાકિઅ આવશે. સરકાર ઈચ્છે છે કે આ વર્ષે રીટર્ન ભરનારની સંખ્યામાં ૫૦ લાખનો વધારો થાય. આના માટે સર્ચ ઓપરેશન કરીને એવા લોકોની ભાળ મેળવાઈ છે કનિદૈ લાકિઅ કે જેની આવક, આવક વેરામાં આવે છે પણ જે રીટર્ન નથી ભરતા, આવા લોકોને નોટીસ મોકલાઈ ચુકી છે. હવે આવક વેરા વિભાગ ૩૧ ઓગષ્ટ સુધી રાહ જોશે. જે લોકો કનિદૈ લાકિઅ ઈન્કમ ટેક્ષના દાયરામાં આવે છે અને સમય રીટર્ન નહી ભર્યા હોય તેમને બ્લેક લીસ્ટ કરવામાં આવશે. ઈન્કમટેક્ષ દાયરામાં આવતા લોકો ૩૧ ઓગષ્ટ પછી પણ રીટર્ન ભરી શકશે, પણ આવા લોકોને ડીસેમ્બર સુધીમાં ભરે તો ૫૦૦૦ અને ડીસેમ્બર પછી રીટર્ન ભરશે તો ૧૦,૦૦૦ રૂપિયા દંડ થશે. એસેસમેન્ટ પર પુરૂ થયા પછી રીટર્ન ભરવાની મનાઈ છે પણ બ્લેક લીસ્ટ થવાના કારણે તેમના પર આવક વેરા વિભાગની નજર રહેશે એટલે તેમના બેંક ખાતાઓ તપાસવામાં આવશે અને સર્ચ ઓપરેશન પણ થશે. આવક વેરા વિભાગના એક ઉચ્ચ અધિકારીએ કહ્યુ કે, ઘણા લોકો જાણી જોઈને મોડા રીટર્ન ભરે છે અને આવકની વિગતો આપવામાં ગરબડ કરે છે અને હવે એવા લોકો પર નજર રાખી રહ્યા છીએ. એમાં વેપારીઓથી માંડીને એવા પગારદારો છે જે પોતાની આવકના અન્ય સોર્સ છુપાવે છે. આવા લોકોને હવે છોડવામાં નહી આવે. એકવાર બ્લેક લીસ્ટમાં નામ આવવાનો મતલબ છે કે તેઓ અમારા રડારમાં રહેશે. આવક વેરા વિભાગે આવા લોકોનું લીસ્ટ બનાવ્યુ છે. જે સારો વેપાર તો કરે છે પણ આવક ઓછી દેખાડીને આવક વેરો નથી ભરતા. આવા લોકોની યાદી આવક વેરા વિભાગ પાસે છે. આવા લોકો માટે આ છેલ્લી તક અપાઈ છે કે તેઓ રીટર્ન ભરે નહીંતર પછી કાર્યવાહી માટે તૈયાર રહે. આ વખતે સરકારે આવક વેરા કલેકશનમાં ૨૦ થી ૨૫ ટકા વધારાનું લક્ષ્ય રાખ્યુ છે. સરકારનું માનવુ છે કે આ લક્ષ્ય તો જ હાંસલ થયા જો રીટર્ન ભરનારાઓની સંખ્યામાં વધારો થાય.(૨-૮) (11:32 am IST)
Source :- https://www.akilanews.com/Main_news/Detail/28-07-2018/139927

વધુ કેટલીક વસ્તુઓ પર જીએસટી ઘટવાના જેટલીએ આપ્યા સંકેત
 નવી દિલ્હી તા. ૨૮ : ગત સપ્તાહે જીએસટી પરિષદે ૮૫ ઉત્પાદનોનો ટેકસ રેટ ઘટાડ્યો હતો. આ ઉત્પાદના ભાવમાં કનિદૈ લાકિઅ થયેલો ઘટાડો આજથી અમલી થઈ ગયો છે. પરંતુ જીએસટી પર હજી લોકોને વધારે ખુશખબરી પ્રાપ્ત થઈ શકે છે. નાણાંપ્રધાન અરૂણ જેટલીએ આ મામલે ફેસબૂક કનિદૈ લાકિઅ પર માહિતી શેર અકિલા કરી છે. નાણાંપ્રધાન અરૂણ જેટલીએ ફેસબૂક પર એક બ્લોગ પોસ્ટ જીએસટીને લઈને લખી છે. જેટલીએ ૨૮ ટકા સ્લેબમાં સમાવિષ્ટ અન્ય કનિદૈ લાકિઅ કેટલાક ઉત્પાદનો પર જીએસટી રેટ ઘટાડવાના સંકેત આપ્યા છે. જેટલીએ જણાવ્યું કે સમય અકીલા સાથે જેમ-જેમ જીએસટી રેવન્યૂ વધશે તેમ-તેમ ઘણા ઉત્પાદનો કનિદૈ લાકિઅ પર જીએસટી રેટ ઘટાડવામાં આવશે. તેમણે જણાવ્યું કે ૨૮ ટકા ટેકસ સ્લેબમાં માત્ર લકઝરી આઈટમ્સને રાખવાની યોજના છે. જીએસટી કાઉન્સિલની ગત બેઠકમાં કનિદૈ લાકિઅ ૨૮ થી ૧૮ ટકાના ટેકસ સ્લેબમાં જે ૧૫ વસ્તુઓને લાવવામાં આવી છે તેમાં ફ્રીજ, વોશિંગ મશીન, જયૂસર મિકસર, ગ્રાઇન્ડર, વેકયૂમ કલીનર, શેવર-ટ્રીમર, કનિદૈ લાકિઅ વોટર હીટર, ઇસ્ત્રી, વોટર કૂલર, હીટર, આઈસક્રીમ ફ્રીજર, હેન્ડ ડ્રાયર, કોસ્મેટિકસ, પરફયૂમ, સેન્ટ, વિડીયોગેમ્સ, લેધર આઈટમ્સ, પેઇન્ટ, વોર્નિશ, કનિદૈ લાકિઅ લિથિયમ આયર્ન બેટરી વગેરોનો સમાવેશ થાય છે. જે વસ્તુઓ પર ટેકસ ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કરવામાં આવ્યો છે તેમાં હેન્ડીક્રાફટ, હેન્ડબેગ, વાંસનું કનિદૈ લાકિઅ ફલોરિંગ, જવેલરી બોકસ, કાચની કલાકૃતિઓ, હેન્ડમેડ લેમ્પ, સજાવટી ફ્રેમના અરીસા વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.(૨૧.૩) (10:15 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/28-07-2018/139916

લ્યો બોલો... યુનો ઠનઠન ગોપાલઃ દેવાળુ ફુંકવાની તૈયારીમાં સંયુકત રાષ્ટ્ર પાસે પૈસા ખલ્લાસ !
 મહામંત્રીએ સભ્ય દેશોને આર્થિક તંગી અંગે જાણ કરીઃ પૈસા મોકલવા કનિદૈ લાકિઅ અનુરોધઃ આવી સ્થિતિ કદી ન થઈ હોવાનો પણ ઉલ્લેખઃ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, સીરીયા, સુદાન, ઈઝરાયલ, ઈજીપ્ત, સાઉદી અરેબીયા, અમેરિકા, કનિદૈ લાકિઅ ઝીમ્બાબ્વે સહિત અકિલા ૮૧ દેશોએ ફાળો આપ્યો નથીઃ ભારતે અગાઉથી જ ચુકવણુ કરી દીધુ છે ન્યુયોર્ક, તા. ૨૮ :. સંયુકત રાષ્ટ્ર એટલે કે યુનો દેવાળુ કનિદૈ લાકિઅ ફુંકવાની તૈયારીમાં છે. એટલી હદે કેશક્રંચ છે કે તે ગમે ત્યારે દેવાળીયુ બની અકીલા શકે છે. યુનો પાસે પૈસાની ભારે તંગી જણાઈ રહી છે. યુનોના કનિદૈ લાકિઅ મહામંત્રી એન્ટોનીયો ગુટરેસે સભ્ય દેશોને પત્ર લખી યુનોની આર્થિક પરિસ્થિતિ અંગે વાકેફ કર્યા છે. આ પત્રથી સ્પષ્ટ થાય છે કે અત્યારે સંયુકત કનિદૈ લાકિઅ રાષ્ટ્ર આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યુ છે. ગુટરેસે એ બાબત ઉપર પણ ઈશારો કર્યો છે કે અત્યારે યુનોમાં રોકડની અછત પ્રવર્તી રહી છે. જો આવુ કનિદૈ લાકિઅ જ ચાલ્યુ તો ખર્ચમાં કાપકુપ મુકવા પડશે. યુનોના મહામંત્રી એ સભ્ય રાષ્ટ્રોને ચેતવણી આપી છે કે તેઓ અમને અપાતુ અનિવાર્ય નિયમીત બજેટ વહેલામા વહેલી કનિદૈ લાકિઅ તકે આપી દયે. જો સભ્ય રાષ્ટ્રો અનુદાનની રકમ આપશે તો જ સંગઠન પોતાનુ કામ યોગ્ય રીતે કરી શકશે. આ પત્રમાં મહામંત્રીએ લખ્યુ છે કે, સંગઠનના કનિદૈ લાકિઅ સભ્ય રાષ્ટ્રો દ્વારા મળતુ નિયમીત અનુદાન આપવામાં વિલંબ થવાને કારણે સંગઠન ઠનઠન ગોપાલ બની ગયુ છે. પત્રમાં સભ્ય દેશોને જણાવાયુ છે કે, આ કેલેન્ડર વર્ષમાં સંગઠનને જેટલી પૈસાની તંગી પડી છે તેટલી કદી નથી પડી. આ પત્ર ૨૬મીએ તેના ૧૧૨ સભ્યોને લખવામાં આવ્યો હતો. જો કે ભારતે પોતાના ફાળાની રકમ અગાઉ આપી જ દીધી છે. ભારતે ૨૯ જાન્યુઆરી સુધીમાં ૧૭.૯૧ મીલીયન ડોલરનુ ચુકવણુ યુનોને કર્યુ હતુ. આ વર્ષે જૂનના અંતમાં સભ્ય દેશો દ્વારા ૨૦૦૮ના આંકલન માટે ચુકવવામાં આવેલ રકમ લગભગ ૧.૪૯ અબજ ડોલર રહી હતી. ગયા વર્ષે આ ગાળામાં નિયમીત બજેટમા જમા રકમ ૧.૭૦ અબજથી વધી હતી. પત્રમાં મહામંત્રીએ લખ્યુ છે કે, સભ્ય દેશોએ રકમ મોકલવામાં મોડુ કરતા અછત ઉભી થઈ છે. ૮૧ દેશોએ હજુ પૈસા નથી આપ્યા જેમાં સુદાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સીરીયા, બાંગ્લાદેશ, બ્રાઝીલ, ઈજીપ્ત, ઈઝરાયેલ, સાઉદી અરેબીયા, અમેરિકા અને ઝીમ્બાબ્વેનો સમાવેશ થાય છે. યુનોનું કોર બજેટ અત્યારે ૫.૪ બીલીયન ડોલર છે અને ૨૦૧૮-૧૯ માટે ૭.૯ બીલીયન ડોલર્સનું બજેટ પીસકીપીંગ ફોર્સ માટે છે.(૨-૭) (11:36 am IST)
Source :- https://www.akilanews.com/Main_news/Detail/28-07-2018/139933

સંમતિ વગર યુઝર્સનો પર્સનલ ડેટા ઉપયોગ કરનાર કંપનીઓને થશે કરોડોનો દંડ
 - ડેટા પ્રોટેક્શન લો માટે બનેલી સરકારની સમિતિએ કરી વિવિધ ભલામણો નવી દિલ્હી, તા. 28. જુલાઈ, 2018 શનિવાર ઝડપથી થઈ રહેલા ડિજિટલાઈઝેશનના કારણે ઈન્ટરનેટ યુઝર્સ માટે તેમના વ્યક્તિગત ડેટા ચોરાવાનુ કે દુરપયોગ થવાનુ જોખમ પણ એટલુ જ વધી ગયુ છે. આ માટેની ચોક્કસ નીતિ નક્કી કરવા માટે સરકાર જસ્ટિસ બી એન શ્રીકૃષ્ણની અધ્યક્ષતામાં બનાવેલી કમિટિએ પોતાની ભલામણો સરકારને સોંપી છે. જેમાં કમિટિએ કહ્યું છેકે ડેટા પ્રોટેક્શન લોનુ ઉલ્લંઘન કરનાર કંપનીઓ પર 15 કરોડ રુપિયા સુધીનો દંડ અથવા તો દુનિયાભરમાં તેમના ટર્નઓવરના 4 ટકા રકમ દંડ તરીકે વસુલ કરવામાં આવે. ડેટા પ્રોટેક્શન અંગે કમિટિએ કહ્યું છે કે યુઝરની સંમતિ સાથે જ તેને લગતા ડેટાનો ઉપયઓગ થવો જોઈએ અને યુઝરને સંમતિ પાછી ખેંચવાનો પણ અધિકાર હોવા જોઈએ. ઈન્ટરનેટ યુઝર્સને તેમના ડેટા સુધી પહોંચવાનો અધિકાર પણ હોવો જોઈએ. સમિતિએ કહ્યું છે કે ગૂગલ ફેસબૂક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરનારાને પણ કોઈ પણ સમયે પોતાનો વ્યક્તિગત ડેટા જે તે સાઈટ પાસેથી મેળવવાનો હક હોવો જરુરી છે. સરકારના આઈટી મંત્રી રવિશંકર પ્રસાદનુ કહેવુ છે કે આ રિપોર્ટને ધ્યાનમાં રાખીને આઈટી સાથે જોડાયેલો કાયદો બનાવવામાં આવશે.

Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/consent-must-for-collection-sharing-of-personal-data-said-panel

હવે સરકારી બેંકોમાં અધિકારીઓને મળશે કામના આધારે પગાર?
 - જાણો... દેશની કઈ ત્રણ મોટી બેંકો નવુ સેલેરી સ્ટ્રક્ચર લાવવા કરી રહી છે વિચારણા નવી દિલ્હી, તા. 28. જુલાઈ, 2018 શનિવાર અધિકારીઓને તેમના કામના આધારે જ સેલેરી આપવાના ધારાધોરણ લાગુ કરવા માટે બેંકો વિચારી રહી છે. દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેમજ પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડાએ પરફોર્મન્સ સાથે સેલેરીને જોડવાનુ માળખુ તૈયાર કરવા માંડ્યુ છે. એક બિઝનેસ ન્યુઝ પેપરના કહેવા પ્રમાણે આ નિયમ જનરલ મેનેજર ગ્રેડ કે તેથી ઉપરના અધિકારીઓ પર લગવાશે. પીએનબીના મેનેજિંગ ડાયરેક્ટર સુનિલ મહેતાના કહેવા પ્રમાણે બેંક પરફોર્મન્સના આધારે ઈન્સેન્ટિવ આપવા પર ગંભીરતાથી વિચારી રહી છે. જેમાં ફિકસ્ડ અને વેરિએબલ પે સામેલ હશે.જેને તબક્કાવાર લાગુ પડાશે. એસબીઆઈ અને બીઓબી પણ આવુ જ મોડેલ અપનાવવા માંગે છે. સામાન્ય રીતે પગારનુ આ પ્રકારનુ સ્ટ્રક્ચર પ્રાઈવેટ સેક્ટરમા હોય છે.જોકે પ્રદર્શનના આધારે પેમેન્ટ માટે સરકારી બેંકોએ સરકારની મંજુરી લેવી જરુરી હોય છે. ઘણી વખત એવુ બનતુ હોય છે કે પ્રદર્શનની સામે સારુ વળતર નહી મળવાથી અધિકારીઓ નિરાશ થતા હોય છે અને તેમના મોરલ પર અસર પડતી હોય છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/public-sector-banks-plan-to-link-pay-with-performance-et-online

ધો. ૯ થી ૧૨માં શિક્ષકોની ભરતી માટે કાલે શિક્ષકોની ભરતી માટે ટેટની પરીક્ષા
 ૬૮ કેન્દ્રોમાં ૧૮ હજાર ઉમેદવારો પરીક્ષા આપશેઃ સીસીટીવીમાં કેદ થશે રાજકોટ, કનિદૈ લાકિઅ તા. ૨૮ :. ગુજરાતમાં ત્રણ વર્ષ બાદ ધો. ૯ થી ૧૨માં શિક્ષકોની ભરતી માટેની ટેટની પરીક્ષા આવતીકાલે યોજાશે.   રાજકોટ સહિત રાજ્યમાં જુદા જુદા કનિદૈ લાકિઅ ૯ જિલ્લા મથકોએ અકિલા શિક્ષકોની ભરતી માટેની આ પરીક્ષા યોજવામાં આવી છે. સીસીટીવી કેમેરાની સુવિધા ધરાવતા ૬૮ કેન્દ્રોમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં કનિદૈ લાકિઅ આવી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ ઉપરાંત જામનગર અને જૂનાગઢમાં ટેટની પરીક્ષા માટેની અકીલા બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પરીક્ષાના પ્રશ્નપત્રો કનિદૈ લાકિઅ તા. ૨૮ને શનિવારે રાજકોટ આવી જશે. અહીંની કરણસિંહજી હાઈસ્કૂલમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. પરીક્ષાના સુપરવિઝનમાં માધ્યમિક ઉપરાંત પ્રાથમિક કનિદૈ લાકિઅ શાળાના શિક્ષકોની નિમણૂંકના ઓર્ડર આપવામાં  આવ્યા હોવાનું જાણવા મળે છે.(૨-૧૭) (2:48 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/28-07-2018/83527


Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  1 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here

CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Source :-http://dabhiraj.blogspot.in/, http://www.hiteshpatelmodasa.com/,http://www.bhaveshsuthar.in
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/