સુવિચાર

"Wel-Come to Information Technology & Education Development World" સુવિચાર :- "શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કળા છે અને જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM) - See more at: http://gujaratteachergroup.blogspot.in/p/reach-us.html#sthash.ZQOi6IeM.dpuf

Sunday 23 February 2014

કર્મચારીઓ સાથેનો 26 તારીખનો વર્કશોપ મોકૂફ - ગુજરાતના સરકારી કર્મચારી ઉઠો જાગો નહિતર ઉઠવા લાયક નહિ રહો. આજ સમય છે બઘાએ એક થઇને કઇક કરી બતાવવાનો, ભ્રસટાચાર રોકવાનો. સરકારી કર્મચારીનો વિકાસ કરવાનો. જો હાલ વિચાર કરવા રહેશો તો આખી જીંદગી વિચારતા રહી જસો.


Gujarat Teacher Group
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, )

કર્મચારીઓ સાથેનો 26 તારીખનો વર્કશોપ મોકૂફ

26 તારીખે કર્મચારી સંકલન સમિતિ ના હોદેદારો સાથે થનાર માનનીય મુખ્યમંત્રીશ્રીની બેઠક રદ થઇ છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

Honorable Modi's Meeting with employees cancelled

 
ગુજરાતના સરકારી કર્મચારી ઉઠો જાગો નહિતર ઉઠવા લાયક નહિ રહો.  આજ સમય છે બઘાએ એક થઇને કઇક કરી બતાવવાનો, ભ્રસટાચાર રોકવાનો. સરકારી કર્મચારીનો વિકાસ કરવાનો. જો હાલ વિચાર કરવા રહેશો તો આખી જીંદગી વિચારતા રહી જસો.


ગુજરાતમા નવા ભરતી થયેલા સરકારી કર્મચારી ના ફુલ પગાર માટેનો કેસ જીતી ગયા હોવા છતા હજુ કોર્ટમા તારીખ પર તારીખ પડે છે, આજે 26 તારીખે કર્મચારી સંકલન સમિતિ ના હોદેદારો સાથે થનાર માનનીય મુખ્યમંત્રીશ્રીની બેઠક રદ થઇ છે. આજ સમય છે સરકારી કર્મચારીને જાગવાનો કઇક કરી બતાવવાનો, જો નહિ જાગો તો આચાર સહિતા લાગુ પડતા કેસ જીતી ગયા હોવા છતા ચુટણી પછી ફુલ પગાર કે વઘારો નહિ મળે.જેમ કલોલ ના પાટીદાર તો જાગી ગયા તમે કોની રાહ જુઓ છો

ગુજરાત સમાચાર પમાણે  “ પોલીસ કાયદાની રક્ષક નહીં પરંતુ ભક્ષક જણાય છે  હાઇકોર્ટ “ આ હકીકત સાચી છે મારો પણ એવોજ અનુભવ રહયો છે, ફરીયાદિ ના કેસમા ખોટા પુરાવા રજુ કરી ફરીયાદિનેજ આરોપી બનાવિ હજુ કઇ બાકી રહી જતુ હોય તો ખોટુ કામ કરવા માટે સરકારી કાગળ ખરચ માટે 1000 રુપીયા લાંચ માગે છે સમુહમા, કોર્ટમા તારીખ પર તારીખ પડે છે, ન્યાય માગવો કોના જોડે ?, આવા અનુભવ ગણા લોકોના હશે, આજ સમય છે ગુજરાતની ભોળી જનતાને જાગવાનો કઇક કરી બતાવવાનો,
ભ્રસટાચાર ને લગતી કોઇ પણ માહિતી મળે તો મોબાઈલ મા ફોટો પાડી કે રેકોડીગ કરી ઈમેલ કરો તથા સમાચર પત્રોમા અને પોલિસ ને જાણ કરો.
ઇમેલ -inquiry.gsg13@gmail.com, 
નોઘ -  આવિ કોઈ પણ પરીક્ષા મા ભ્રસટાચાર થાય છે એવિ માહિતી મળે તો મોબાઈલ મા ફોટો પાડી કે રેકોડીગ કરી ઈમેલ કરો તથા પોલિસ ને જાણ કરો. ભ્રસટાચાર વગરનુ ગુજરાત આપણિ એકતાથીજ બનિ શકે છે.
આ આટૅીકલ ને દરેક સોશીયલ નેટવૅક શેર કરો લાઈક કરો (ફેસબુક) અને  ભ્રસટાચાર વગરનુ ગુજરાતના નિરમાણ મા તમારો ફાળો આપો.
ચુટણી આવિ રહી છે પાટીદાર લોકો, સરકારી કર્મચારી, ભ્રસટાચાર નો ભોગ બનેલા લોકો તથા તેમના પરીવાર ના વોટ સરકાર બદલી શકે છે,  ભ્રસટાચાર નાબુદ કરી શકે છે, પોતાના હક મેળવિ શકે છે.
પોલીસ કાયદાની રક્ષક નહીં પરંતુ ભક્ષક જણાય છે ઃ હાઇકોર્ટ
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રિક્ષા ચાલકને ગોંધી રાખવાના કેસમાં હાઇકોર્ટની ટીકા
ગૃહવિભાગના અગ્ર સચિવ, અમદાવાદ પોલીસ કમિશનર ACBના ડાયરેક્ટરને કેસમાં પક્ષકાર બનાવ
અમદાવાદ,મંગળવાર
ઓટોરીક્ષા ચાલકને ગેરકાયદે રીતે ગોંધી રાખી તેને માર મારવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે શહેર ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ તરલ ભટ્ટ અને બે કોન્સ્ટેબલ નૌશાદ અને શકીલનો આજે ઉધડો લઇ નાંખ્યો હતો. જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ ઝેડ.કે.સૈય્યદની ખંડપીઠે ખાસ કરીને પીએસઆઇ તરલ ભટ્ટને ઝાટકતાં જણાવ્યું હતું કે, તમે ક્રાઇમ બ્રાંચના અધિકારી છો ત્યાર ેતમને કાયદાની વિશેષ જાણકારી હોવી જોઇએ અને તમને ખબર પડવી જોઇએ કે, કાયદો હાથમાં ના લેવાય. પોલીસના આ પ્રકારના વલણ પરથી એમ જણાય છે કે, પોલીસ કાયદાની રક્ષક નહી ભક્ષક છે.
હાઇકોર્ટે આ કેસમાં રાજયના ગૃહવિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી, શહેર પોલીસ કમિશનર અને એસીબીના ડાયરેકટરને પક્ષકાર બનાવવા હુકમ કર્યો હતો. વધુમાં,  હાઇકોર્ટે કસૂરવાર પીએસઆઇ તરલ ભટ્ટ અને બંને કોન્સ્ટેબલ વિરૃધ્ધ ખાતાકીય પગલાં સહિતના શું પગલા લેવાશે તેનો રિપોર્ટ તા.૫ મી માર્ચ સુધીમાં રજૂ કરવા નવા પક્ષકાર બનાવાયેલા સત્તાવાળાઓને તાકીદ કરી છે. હાઇકોર્ટે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે, ક્રાઇમબ્રાંચના પીએસઆઇ તરલ ભટ્ટ અને અન્ય બે કોન્સ્ટેબલો તરફથી હવે આ કેસમાં રાજય સરકારના સરકારી વકીલ હાજર રહી શકશે નહી, આ કસૂરવાર કર્મચારીઓએ તેમની રીતે ખાનગી વકીલ રોકીને તેમનો બચાવ કરવો હોય તો કરી શકે છે.
સલીમ શેખ નામના એક ઓટોરીક્ષા ચાલકની પત્ની રીઝવાના શેખ દ્વારા કરાયલી અરજીમાં એવી આક્ષેપભરી રજૂઆત કરાઇ હતી કે, શહેર ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ સાણંદ રેલ્વે ક્રોસીંગ પાસેથી તેમના પતિને ત્રણ દિવસ પહેલાં પકડયો હતો અને તેને ગેરકાયદે રીતે ગોંધી રાખ્યો હતો. એ દરમ્યાન ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલો નૌશાદ અને શકીલભાઇએ તેમના પતિને બહુ ઢોર માર માર્યો હતો. ક્રાઇમબ્રાંચના અધિકારીઓ તેમના પતિને મુકત કરવા પેટે એક લાખ રૃપિયાની માંગણી કરી રહ્યા છે.
આ કેસમાં હાઇકોર્ટે ક્રાઇમબ્રાંચના પીએસઆઇ તરલ ભટ્ટ અને બંને કસૂરવાર કોન્સ્ટેબલોને આજે અદાલત સમક્ષ રૃબરૃ હાજર રખાવ્યા હતા.
અરજદારપક્ષ તરફથી ક્રાઇમબ્રાંચ દ્વારા ગઇકાલે સલીમ શેખને પાઠવાયેલા સમન્સના અસ્તિત્વને લઇ પણ ગંભીર સવાલ ઉઠાવાયા હતા અને એવો આક્ષેપ કરાયો હતો કે, સલીમ શેખને પોલીસે ગેરકાયદે ગોંધી રાખ્યો હતો અને અદાલતમાં આ બધુ ડેવલપમેન્ટ થયા બાદ પોલીસે પાછળથી સમન્સનો પુરાવો બચાવમાં ખોટી રીતે ઉભો કર્યો છે.

ગેરકાયદેસર ડિટેઇનની વાતથી તમામ પોલીસ અધિકારીઓ વાકેફ હોય છે
ગુનેગારો પાસેથી ભાગબટાઈ કરવાની પોલીસની મોડસ ઓપરેન્ડી
૫૬ જેટલાં વાહનો ચોર્યાં હોય તો ધરપકડને કાગળ પર કેમ ન બતાવી ?
અમદાવાદ,મંગળવાર
અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં વાહનચોરી કરનાર ગેંગના સાગરિત સલીમ શેખને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાના મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પોલીસનો ઉધડો લેવામાં આવ્યા બાદ પોલીસની કામગીરી પર ઘણા સવાલો ઉભા થયા છે. પણ હકીકત એ છે કે આરોપીઓને પુછપરછ માટે ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાની વાતને પોલીસ કમિશનરથી માંડીને ગૃહ વિભાગના અધિકારીઓ સુધીના અધિકારીઓ વાકેફ હોય છે. તેમ છંતાય, આરોપીઓ પાસે ગુનો કબુલાવાના બહાને આરોપીને શંકાને આધારે કોઇ પણ કાગળ વિના કે ગેરકાયદેસર ગોંધી રાખીને શારિરીક માનસિક ટોર્ચર કરીને તેની પાસે ગુનો કબુલાયા બાદ તેની સાથે મિલીભગત કરી ચોરીના મુદ્દામાલમાંથી ભાગબટાઇ કરવાનો ઇરાદો હોય છે. પીએસઆઇ કે પીઆઇ દ્વારા ગેરકાયદેસર રીતે આરોપીઓને ગોંધી રાખવામાં આવતા હોવાની વાત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સારી રીતે જાણતા હતા. તેમ છંતાય, પણ નીચેથી ઉપર સુધી ભાગબટાઇનો હિસ્સો મેળવવા માટે પોલીસ અધિકારીઓ આખઆડા કાન કરાયા હતા. ત્યારે સલીમ શેખની પત્નીની રજુઆતને પોલીસ વિભાગ કે ગૃહવિભાગના કોઇપણ અધિકારીઓએ ધ્યાન ન ધરતા હાઇકોર્ટના શરણે જવુ પડયું હતું. ત્યારે પોલીસની દાનત જો ખરેખર સાચી હોય તો સલીમ શેખ તેમજ તેના સાગરિતો ૫૬ જેટલા વાહનોની ચોરી કરી હોય તો તેને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાને બદલે તેની ધરપકડ કે અટકાયતને કાગળ પર બતાવવાની જરૃર હતી. પણ, સલીમશેખ જેવા આરોપીઓ પાસેથી ચોરી કબુલાવીને તેની પાસેથી કેટલી રકમનો તોડ કરવો? તેવા ઇરાદા અધિકારીઓના હોવાથી આરોપીઓને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં જ આવતા હોય છે.
બીજી તરફ ગંભીર ગુનાને આચરનાર તત્વોને  પણ પોલીસની બેદરકારીને કારણે મોકળું મેદાન મળી જાય છે અને કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને આબાદ છટકી જતા હોય છે.ત્યારે પોલીસે કાયદાની મર્યાદામાં રહીને ગુનાખોરીને ડામવાની જરૃર છે. નહી કે ગુનેગારો પાસેથી ભાગબટાઇ લેવા માટે તેમની ગેરકાયદેસર અટકાયત કરીને ટોર્ચર કરી અંગત લાભ લેવો.
 

 Source :- http://gayatrisolutiongroup.blogspot.in/, http://gayatrisolutiongroup.com/ http://pravindabhani.blogspot.in/
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,  etc…
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment