સુવિચાર

"Wel-Come to Information Technology & Education Development World" સુવિચાર :- "શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કળા છે અને જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM) - See more at: http://gujaratteachergroup.blogspot.in/p/reach-us.html#sthash.ZQOi6IeM.dpuf

Monday 11 December 2017

દેશવ્યાપી ટેલીકોમ કર્મચારીઓની હડતાલઃ રાજકોટમાં ઉગ્ર દેખાવો - મોંઘીદાટ બી-સ્કૂલમાં ભણનારા માત્ર ૨૦ ટકા વિદ્યાર્થીઓને જ નોકરી મળે છે - પેન્શન-મનરેગા મજુરી વધારવા સૂચન - પાંચસો અને બે હજારની નવી ચલણી નોટ ફાટી તો બદલી નહીં શકાય - એક ઉમેદવારને બે બેઠક પરથી ચૂંટણી લડતા રોકવા જરૂરી

Gujarat Teacher Group

Product Price For Customer :- GSG Customer Click Here
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)  
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.




 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ


દેશવ્યાપી ટેલીકોમ કર્મચારીઓની હડતાલઃ રાજકોટમાં ઉગ્ર દેખાવો

હડતાલીયા કર્મચારી-અધિકારીઓનો ૨ દિ'નો પગાર કાપી લેવા મેનેજમેન્ટનો આદેશઃ ફોલ્ટ સેવાને ગંભીર અસર...: અમુક શહેરોમાં બ્રોડબેન્ડ-નેટસેવા ખોરવાઈઃ ત્રીજા પગાર પંચનું અમલીકરણ અને સબ સિડીયરી ટાવર કંપનીનો ઉગ્ર વિરોધઃ મુખ્ય માંગણીઓ


રાજકોટ તા.૧૧ : બીએસએનએલના કર્મચારીઓનું પેઇજ ડીવીઝનનું અમલીકરણ કર્યુ જરૂરી હતુ પરંતુ બીએસએનએલ છેલ્લા ત્રણ વર્ષથી ખોટ પડી રહેલ છે. તેવુ કારણ દર્શાવીને કર્મચારીઓના પેઇજ રીવીઝનને નકારવામાં આવી રહ્યુ છે અને એ પણ નોંધવુ જરૂરી છે કે બીએસએનએલની ખોટ પાછળ બીએસએનએલના કર્મચારીઓ જવાબદાર નથી. સરકારની ખોટી નીતિઓના કારણે જ બીએસએનએલ ખોટ કરતા એકમમાં પરિવર્તિત થયુ છે અને તેના પરિણામે અને પેઈજ રીવીઝનનો મામલો નહી સૂલગતા આજથી ૨ દિ' ટેલીકોમ કર્મચારીઓ-અધિકારીઓની દેશવ્યાપી હડતાલનો પ્રારંભ થયો છે. રાજકોટના ૩૫૦ સૌરાષ્ટ્રના ૨૫૦૦ સહિત દેશભરના ૨ લાખ કર્મચારીઓ-અધિકારીઓ હડતાલમાં જોડાયા છે. રાજકોટમાં જ્યુબેલી બાગ ખાતે સવારે ઉગ્ર દેખાવો-સૂત્રોચ્ચાર થયા હતા.
સરકાર એ સહાયક ટાવર કંપની બનાવવાનો નિર્ણયને લીધેલ છે તે બીએસએનએલના ભાગ કરીને પાછળના દરવાજેથી તે ખાનગીકરણ કરાવવાનો સરકારનો ઇરાદો છે. જો સહાયક ટાવર કંપની બનશે તો બીએસએનએલના ર,૦૦,૦૦૦ કર્મચારી અને બીએસએનએલનું ભવિષ્ય અંધકારમય બની જશે. તેમ યુનિયન અગ્રણીઓ ઉમેરી રહ્યા છે.
ટેલીકોમ યુનિયનના નેતાઓ શ્રી બી.એ. મેનપરા, અશોક હિન્ડોચા, એમ.કે. રાવલ વિગેરેએ ઉમેર્યુ હતુ કે, હડતાલ સજ્જડ છે, તમામ કચેરીઓ સુમસામ છે. ફોલ્ટ કસ્ટમર કેર સેન્ટરો બંધ કરી દેવાયા છે. હડતાલની ગંભીર અસર ઉદ્ભવી છે.
એકલા રાજકોટને જ હડતાલને કારણે ૨ દિ'માં ૩૦ થી ૩૫ લાખનું નુકશાન જશે. મુખ્ય માંગણીઓમાં ત્રીજા પગારપંચનું અમલીકરણ ૧-૧-૨૦૧૭થી ૧૫ ટકા ફીટમેન્ટ સાથે અને સબસિડીયરી ટાવર કંપનીનો વિરોધ એ છે.
બે દિ'ની હડતાલને કારણે રાજકોટ ઉપરાંત ગુજરાતના ઘણા શહેરોમાં બ્રોડબેન્ડ - નેટ સેવા ખોરવાઈ ગઈ છે, બીજી બાજુ મેનેજમેન્ટે હડતાલને ગેરકાયદે જાહેર કરી, મુકાયેલ રજાઓ રદ્ કરી, હડતાલમાં જનાર તમામના ૨ દિ'ના પગાર કાપી લેવાનો આદેશ કર્યો છે.

.
 Source :- http://www.akilanews.com/Rajkot_news/Detail/12-12-2017/88558

મોંઘીદાટ બી-સ્કૂલમાં ભણનારા માત્ર ૨૦ ટકા વિદ્યાર્થીઓને જ નોકરી મળે છે

નોટબંધી, ઔદ્યોગિક વિકાસનો નીચો દર અને નવા પ્રોજેકટ્સની સંખ્યામાં : ઘટાડાને કારણે બિઝનેશ સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે રોજગારીની તકો ઘટી રહી છે


નવી દિલ્હી તા. ૧૨ : ઉદ્યોગ સંગઠન એસોચેમે જણાવ્યું છે કે બિઝનેસ સ્કૂલોને પોતાના વિદ્યાર્થીઓને રોજગારી અપાવવામાં ખાસ્સી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એસોચેમના જણાવ્યા મુજબ ૨૦ ટકા વિદ્યાર્થીઓને જ જોબ ઓફર્સ મળે છે. આ વર્ષ વિદ્યાર્થીઓ માટે ખાસ્સુ પડકારજનક હતુ. નોટબંધી, ઔઘોગિક વિકાસનો નીચો દર અને નવા પ્રોજેકટ્સની સંખ્યામાં ઘટાડાને કારણે બિઝનેસ સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે રોજગારીની તકો ઘટી રહી છે. ગયા વર્ષે ૩૦ ટકા વિદ્યાર્થીઓને જોબ ઓફર મળી હતી. બિઝનેસ સ્કૂલોમાં આ વર્ષે પણ ગ્રાફ નીચે જતો જોવા મળી રહ્યો છે.
એસોચેમના જણાવ્યા અનુસાર બિઝનેસ સ્કૂલ અને એન્જિનિયરિંગ કોલેજોના વિદ્યાર્થીઓને મળનારી સેલેરીમાં ૪૦થી ૪૫ ટકાનો ઘટાડો થયો છે. એસોચેમ એજયુકેશન કાઉન્સિલ (AEC)એ જણાવ્યું કે કોઈ કોર્સ પર ૩-૪ વર્ષ અને લાખો રૂપિયા ખર્ચ કરતા પહેલા હવે વિદ્યાર્થીઓ વિચાર કરતા થઈ ગયા છે.
ચેમ્બરે જણાવ્યું કે ૪૦૦થી વધુ સંસ્થાઓ પાછળ પડી ગઈ છે અને તેમને પૂરતા સ્ટુડન્ટ્સ પણ મળતા નથી. બિઝનેસ સ્કૂલ એન્જિનિયરિંગ કોલેજ સ્ટુડન્ટ્સને આકર્ષવામાં નિષ્ફળ ગયા છે. દિલ્હી- NCR, મુંબઈ, બેંગલોર, અમદાવાદ, કલકત્તા, લખનૌ, દહેરાદૂન સહિત અનેક મોટા શહેરોમાં ૨૦૧૫ પછી ૨૫૦થી વધુ સ્કૂલ બંધ થઈ ચૂકી છે. ૯૯ સ્કૂલ એવી છે જે બંધ થવાની અણી પર છે.
તેનુ મોટુ કારણ ઝડપથી વધતી બી સ્કૂલની સંખ્યા પણ છે. આ સ્કૂલો મેનેજમેન્ટ એજયુકેશનની ગુણવત્તા પર ધ્યાન આપતી નથી. ચેમ્બરે જણાવ્યું કે આવી ઈન્સ્ટિટ્યુટ માત્ર સીટ ભરવા પર જ ફોકસ કરે છે અને વિદ્યાર્થીઓની કવોલિટી પર ધ્યાન આપતી નથી. એસોચેમે સજેશન આપ્યું છે કે રિસર્ચ પર ધ્યાન આપવાની સાથે સાથે તેમણે ઈન્ફ્રાસ્ટ્રકચરમાં પણ સુધારો કરવો જોઈએ, શિક્ષકોને ટ્રેનિંગ આપવી જોઈએ અને ઈન્ડસ્ટ્રી સાથે તાલમેલ કરીને વિદ્યાર્થીઓને નોકરી મેળવવા લાયક બનાવવા જોઈએ.(૨૧.૧૪)

 Source :-http://www.akilanews.com/Main_news/Detail/12-12-2017/119589

પેન્શન-મનરેગા મજુરી વધારવા સૂચન

કોર્પોરેટ ટેક્ષનો દર ઘટાડો ૨૦ ટકા કરવા પણ સૂચન


નવી દિલ્હી તા.૧૨: અર્થશાસ્ત્રીઓએ બજેટ પહેલાની ચર્ચા-વિચારણાના એક ભાગરૂપે સામાજિક સુરક્ષા પેન્શનમાં વધારો કરવા સહિતના પગલાઓ આગામી અંદાજપત્રમાં લેવા માટે નાણા પ્રધાન અરૂણ જેટલીને સૂચનો કર્યા છે.
જાણીતા અર્થશાસ્ત્રી જીન ડ્રેઝીએ અહીં મિટીંગ બાદ નોંધ્યુ હતું કે રકમ (સામાજિક સુરક્ષા પેન્શન માટે) એક મહિનાની રૂપિયા ૨૦૦ રહી છે, તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.
તે આટલી નીચી રાખવા માટેનું કોઇ કારણ નથી. આથી, તેને વધારીને ઓછામાં ઓછી રૂપિયા ૫૦૦, હું કહું છું કે ૧૦૦૦ કરવી જોઇએ, જો શકય હોય તો અને તેનું કવરેજ પણ વધારવું જોઇએ.
જો સિકયુરિટી પેન્શન વધારવામાં આવશે તો તેની રાજકોષીય ખાધ પર અસર નહીં પડે, તેના જવાબમાં તેમણે કહ્યું કે આ મામૂલી છે અને તેની ખાસ અસર નહીં પડે.
તેમણે એમ પણ સૂચવ્યું હતું કે માતૃતવિ અધિકારોનું સંપૂર્ણપણે અમલીકરણ કરવું જોઇએ, જે છેલ્લા ચાર વર્ષથી પેન્ડિંગ છે. પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ વિરમાણીએ જણાવ્યું હતું કે સરકારે કસ્ટમ્સ અને એકિઝમ ડ્યૂટી સુધારા હાથ ધરવા જોઇએ કેમ કે આ સેકટરમાં છેલ્લા દસ વર્ષથી સુધારા જોયા નથી.
વડાપ્રધાનની આર્થિક સલાહકાર કાઉન્સિલના સભ્ય, રાથ્નિ રોયના જણાવ્યાનુસાર, સરકાર રાજકોષીય ખાધના લક્ષ્યાંકને વળગી રહેશે તેવી અપેક્ષા છે. જેટલી ઉપરાંત, આ મિટીંગમાં નાણા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ કે જેમાં નાણા સચિવ હસમુખ અઢિયા, મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણિયન, ખર્ચ સચિવ એ એન ઝા અને ફાયનાન્સિયલ સર્વિસીઝ સેક્રેટરી રાજીવકુમાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
અર્થશાસ્ત્રીઓએ કોર્પોરેટ ટેક્ષનો દર ૩૦ ટકાથી ઘટાડી ૨૦ ટકા કરવા પણ સૂચન કરી છે.

Source :-http://www.akilanews.com/Main_news/Detail/12-12-2017/119586


પાંચસો અને બે હજારની નવી ચલણી નોટ ફાટી તો બદલી નહીં શકાય

RBIના નવા નિયમને કારણે નાગપુરના ગરીબની કફોડી હાલતઃ દીકરી માટે દવા ખરીદવાના થયા વાંધા


નાગપુર તા. ૧૨ : પાંચસો અને બે હજાર રૂપિયાની ફાટેલી કે ડેમેજ થયેલી ચલણી નોટો બેંકો અથવા તો આરબીઆઇમાં બદલી શકાશે નહીં. ચલણમાં આવેલી નવી પાંચસો કે બે હજાર રૂપિયાની ચલણી નોટ ફાટે કે ડેમેજ થાય તો એ ફકત એક કાગળનો ટુકડો જ ગણાશે, નોટની કોઇ કિંમત રહેશે નહીં એમ નાગપુરમાં બનેલા એક બનાવ પરથી સિધ્ધ થયું છે અને એને કારણે એક સામાન્ય અનુવાદકની હાલત કફોડી થઇ ગઇ છે. પોતાની માનસિક રીતે અક્ષમ પુત્રી માટે હવે તેને દવા ખરીદવાના વાંધા થઇ ગયા છે.
વપરાશને કારણે નોટ ડેમેજ થાય એ માટે આ ખૂબ જ ઓછો સમય છે તેમ છતાં જો ચલણી નોટ ફાટી ગઇ હોય કે ડેમેજ થઇ ગઇ હોય તો પહેલાની અન્ય ચલણી નોટોની જેમ આરબીઆઇ કે અન્ય બેંકો નવી પાંચસો અને બે હજારની નોટો બદલી આપશે નહીં. નાગપુરમાં અનુવાદનું કામ કરતા રામ મકડે નાગપુરની આરબીઆઇ ઓફિસમાં ગયા અઠવાડિયે ૫૦૦ રૂપિયાની બે ફાટેલી નોટ લઇને બદલવા માટે ગયા હતા, પરંતુ તેમને ખાલી હાથ પાછા આવવું પડયું હતું. રામ મકડેની માનસિક રીતે અક્ષમ પુત્રીએ ભૂલથી આ નોટો ફાડી નાખી હતી. જોકે રામ સામાન્ય વર્ગના હોવાને કારણે તેમને માટે આ રકમ ઘણી મોટી છે. તે આ રકમથી પોતાની પુત્રી માટે દવા ખરીદવાના હતા.

Source :-http://www.akilanews.com/Main_news/Detail/12-12-2017/119593

એક ઉમેદવારને બે બેઠક પરથી ચૂંટણી લડતા રોકવા જરૂરી

ચૂંટણી પંચે સુપ્રિમ કોર્ટને કર્યુ સુચનઃ બે બેઠક પરથી ચૂંટાનાર વ્યકિત એક બેઠક ખાલી કરે છે અને સરકારી તિજોરી ઉપર ખર્ચનું ભારણ પડે છેઃ સુપ્રિમ કોર્ટ સુનાવણી માટે તૈયારઃ ત્રણ સપ્તાહ બાદ સુનાવણીઃ એક ઉમેદવારને બે બેઠક પરથી લડતો અટકાવવા કાયદામાં ફેરફાર કરવા થઇ છે અરજી


નવી દિલ્હી તા.૧ર : ચૂંટણી પંચે સુપ્રિમ કોર્ટને જણાવ્યુ છે કે, એક ઉમેદવાર બે બેઠક પરથી ચૂંટણી લડવો ન જોઇએ. પંચે કહ્યુ છે કે, એક ઉમેદવાર જયારે બે જગ્યાએથી જીતે છે અને બાદમાં એક બેઠક ઉપરથી રાજીનામુ આપી દયે છે. આનાથી ખર્ચનો વધારાનો બોજો પડે છે. ર૦૦૪ અને ર૦૧૬માં પણ આ બારામાં પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો.
ચીફ જસ્ટીસ દિપક મિશ્રાની બેન્ચે એટોર્ની જનરલ કે.કે.વેણુગોપાલને કહ્યુ છે કે તેઓ આ મામલામાં કોર્ટનો સહયોગ કરે. અદાલતે કહ્યુ છે કે, તે ત્રણ સપ્તાહ બાદ આ મામલાની સુનાવણી કરશે. અદાલતે ૧૩ ઓકટોબરે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટીસ જારી કરી જવાબ માંગ્યો હતો. કોર્ટમાં એક અરજી દાખલ કરી લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ-૩૩ (૭)ને પડકારવામાં આવેલ છે અને માંગ કરવામાં આવી છે કે સંસદ અને વિધાનસભા સહિત તમામ સ્તર પર એક ઉમેદવારને બે બેઠક પરથી ચૂંટણી લડતા અટકાવવામાં આવે.
ભાજપના નેતા અને અરજદાર અશ્વિની ઉપાધ્યાયે અરજીમાં કહ્યુ છે કે એક માણસ એક વોટની જેમ એક ઉમેદવાર એક બેઠકની ફોર્મ્યુલા થવી જોઇએ. લોકતંત્ર પણ કહે છે કે એક ઉમેદવાર એક જ જગ્યાએથી લડે. બે જગ્યાએથી ચૂંટણી લડનાર વ્યકિતએ એક બેઠક છોડવી પડે છે અને પેટા ચૂંટણી થવા પર સરકારી ખજાના પર બોજો પડે છે. એવામાં જન પ્રતિનિધિત્વ કાનૂનની એ સંભાવનાને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે જે હેઠળ એક ઉમેદવારને બે બેઠક પરથી ચૂંટણી લડવાની પરવાનગી આપવામાં આવે છે.(૩-૩)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/12-12-2017/119587

➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here

CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Source :-http://dabhiraj.blogspot.in/, http://www.hiteshpatelmodasa.com/,http://www.bhaveshsuthar.in
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment